Dahod:ગડોઇ ગામમાં દશેરાએ રાવણની પૂજાની અનોખી પરંપરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર વિશ્વમાં વિજ્યાદશમીએ રાવણના પૂતળાનું દહન કરી ભગવાન રામના વિજયનો ઉત્સવ મનાવાય છે, ત્યારે દાહોદના ગડોઇ ગામમાં દશેરાએ રાવણની પૂજા કરવાની અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે.
અહીં ત્રેતા યુગમાં રાવણ રોકાયો હોવાની લોકમાન્યતા છે.દેશમાં કેટલીક જગ્યાએ રાવણ દહન પર પ્રતિબંધિત છે. કારણ કે રાવણની પૂજા કરાતીનું કહેવાય છે. દાહોદ જિલ્લા મથકથી માંડ પાંચ કિ.મી. દૂર આવેલું ગડોઇ ગામનો ત્રેતાયુગ સાથે સંબંધ છે. અહીં આજે પણ રાવણની હયાતીના પુરાવા સાક્ષી પૂરે છે. ગામના ડુંગરા ફળિયામાં રસ્તા ઉપર જ રાવણના મંદિર મનાતા સ્થળે રાવણની ખંડિત પ્રતિમાની ગ્રામજનો દ્વારા પૂજા કરાય છે.વર્ષોથી રાવણના મંદિર તરીકે પ્રખ્યાત આ સ્થળ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. માત્ર દશેરાએ જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં શ્રદ્ધાળુ અહીં પૂજા કરે છે. આ સ્થળે ભૂતકાળમાં રાવણની પૂર્ણ પ્રતિમા હોવાનું કહેવાય છે, પરંતુ તે કાળક્રમે ખંડિત થયા બાદ અહીંથી ઘણી પ્રતિમાઓની ચોરી થઇ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. દશેરાએ વર્ષોથી રાવણની પ્રતિમાની પૂજાની પરંપરા જળવાઇ રહી છે.
નળું વિસ્તાર કહેવાતા આ સ્થળ પર ત્રેતાયુગમાં રાવણ રોકાયો હોવાની માન્યતા
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં મોટુ મંદિર હોવાનું વડીલો કહેતાં હતા. નીચે મોટી ઈંટોનું ચણતર પણ છે. સાબુત મંદિર કોઇએ જોયું નથી, પરંતુ જુના મંદિરના અવશેષો આજે પણ મોજુદ છે. 20 વર્ષ પહેલાં એક વ્યક્તિએ મંદિર ફરતે બાઉન્ડ્રી બાંધવા પાયા ખોદાવ્યા હતા, પરંતુ જમીન માલિકના વિરોધથી તે શક્ય બન્યું ન હતું. લોકવાયકા મુજબ રાવણ દુનિયાનો છેડો જોવા નીકળ્યા ત્યારે થાકીને અહીં વૃક્ષ નીચે બેઠા પછી ઉભુ નહીં થવાતા તે જમીનમાં સમાઇ ગયો હતો.
What's Your Reaction?






