Dabhoi: રાજ્ય શિક્ષણમંત્રીની હાજરીમા ચાંદોદમાં ગંગા-દશહરા મહોત્સવની પૂર્ણાહુતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીના દસ દિવસ દરમિયાન ઉજવાતા ગંગા દશાહરા મહોત્સવની ગુરૂવારે સંધ્યાકાળે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ભક્તિ સભર પૂર્ણાહુતિ થઇ હતી. મહોત્સવના અંતિમ દિવસે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્ય શૈલેશ મહેતા સહિતના મહાનુભાવોએ તેમજ હજારો ભાવિકોએ પુર્ણાહુતિ પૂજન-મહાઆરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.
જેઠ સુદ એકમ તારીખ 27 મેથી તીર્થક્ષેત્ર ખાતે પ્રારંભ થયેલા દસ દિવસીય ગંગાદશાહરા મહોત્સવ ની આજરોજ ના રોજ તા 5 જૂન ગુરૂવારની સાંજે નર્મદા કિનારાના મલ્હારરાવ ધાટે સમાપન થયું હતું. ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પર્વનો ધાર્મિક લાભ લેવા ઉમટયા હતા ગુરુવારે આ પર્વના અંતિમ દિવસે પણ હજારો ભાવિક ભક્તો સહિત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્યો શૈલેષભાઈ મહેતા સહિતના અગ્રગણ્ય મહાનુભાવો અને સંતો મહંતો ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા મહોત્સવના દસ દિવસ દરમિયાન ચાંદોદના નર્મદા કિનારે પ્રસિધ્ધ મલ્હારરાવ ધાટ ના કિનારે શ્રદ્ધા-ભક્તિ અને પરંપરાનો સુભગ સમન્વય રચાયો હતો.
What's Your Reaction?






