Dabhoi:જન્માષ્ટમી પર્વે રાધા - કૃષ્ણની પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાઈ

Aug 20, 2025 - 04:00
Dabhoi:જન્માષ્ટમી પર્વે રાધા - કૃષ્ણની પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇમાં દેવીપૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ભવ્ય શોભાયાત્રા બાદ શ્રીકૃષ્ણ-રાધાજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસની અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ અવતરણ દિવસે ડભોઇમાં દેવીપૂજક સમાજ પણ દર વર્ષે ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવથી પૂજન અર્ચન કર્યા બાદ બે દિવસ પછી તેમને વિદાય આપવામાં આવે છે. ત્યારે સોમવારે સાંજે જન્માષ્ટમીના ત્રીજા દિવસે ડભોઈ દેવીપૂજક સમાજ અને આગેવાનો દ્વારા જલારામ મંદિર પાસેથી એસટી ડેપો રાધે કોમ્પલેક્ષ વડોદરા ભાગોળ, દુધિયા, કંસારા બજાર, ટાવર, લાલ બજાર થઈ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી.જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલ યુવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા સંપન્ન થયા બાદ ભગવાનની પ્રતિમાનું નગરના તળાવમાં વિધી પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0