Cyclone Shakti થી ગુજરાતને હવે કોઇ જોખમ નથી, આવતીકાલ સુધીમાં વાવાઝોડુ સમાપ્ત થઈ જશે

Oct 6, 2025 - 22:30
Cyclone Shakti થી ગુજરાતને હવે કોઇ જોખમ નથી, આવતીકાલ સુધીમાં વાવાઝોડુ સમાપ્ત થઈ જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ વાવાઝોડુ નબળું પડ્યું છે અને તેની ગતિ ધીમી પડી ગઇ છે જેથી હવે કોઇ જોખમ નથી તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે શક્તિ વાવાઝોડાથી હવે કોઇ જોખમ નથી. જો કે હાલ માછીમારોને સમુદ્રમાં જવાને લઇ કોઇ એડવાઇઝરી જાહેર કરાઇ નથી. શક્તિ વાવાઝોડાની ગતિ ધીમી પડી છે.આવતીકાલ સુધીમાં વાવાઝોડું સમાપ્ત થઇ જશે. જે વિસ્તારમાં તોફાન ત્યાં ન જવાની હવામાન વિભાગે સલાહ આપી છે.

અરબી સમુદ્રમાં સક્રિય શક્તિ વાવાઝોડું ધીમું પડયું

હવામાન વિભાગ પ્રમાણે વાવાઝોડાની ગતિ 70 કિમી પ્રતિ કલાક હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉપરાંત વરસાદ અંગે અમદાવાદ હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિ વાવાઝોડું ધીમું પડયું છે અને ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય. હાલ દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી દૂર શક્તિ વાવાઝોડું સક્રિય છે અને સાયક્લોન આવતીકાલથી ડીપ્રેશનમાં પરિવર્તિત થશે જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0