Coronaના વધતા Case અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા જાણો શું કહ્યુ?

Jun 2, 2025 - 15:30
Coronaના વધતા Case અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા જાણો શું કહ્યુ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં કોરોના ફરી પગ પેસારો કરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધી રહ્યા છે. ત્યારે સરકારે જનતાને સતર્ક રહેવા અપીલ કરી છે. વધી રહેલા કોવિડ કેસ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, કોરોનાએ ઓમિક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે અને હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. પરંતુ દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જરુરી છે.

કોરોનાના વધતા કેસ અંગે તંત્રના પગલા

કોવિડની લહેર ફરી દેશમાં શરુ થઇ છે. વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જનતાને સતર્ક રહેવા કહ્યુ છે. અને સાથે જ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે, હાલમાં વધતા કેસ એ કોઇ ચિંતાનો વિષય નથી. કોરોનાએ ઓમિક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થયું છે. આ ઉપરાંત એક દર્દીના મૃત્યુ અંગે પણ તેમને પ્રશ્ન કરાયો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાના મોટા પ્રકારની બીમારીઓ હોઇ શકે છે. અને જો સમયસર સારવાર ન લેતા હોય તો આ મૃત્યુ થયું હોઇ શકે છે.

સતર્કતા અને સાવચેતી જરુરી

કોરોનાને હાર આપવા માટે આપણી સાવચેતી અને સતર્કતા જરુરી છે. જેને કારણે રોગને હરાવી શકાય છે. આ અગમચેતીના પગલાં તમામ માટે જરુરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, જો તમને કોરોના જેવા લક્ષ્ણ દેખાતા હોય તો તમે જાતે જ કોરેન્ટાઇન થઈ શકો છો અને સારવાર લઈ શકો છો. આ સબ વેરિયન્ટ એક નિમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો બન્યો છે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0