Bhavnagar: પ્લેન ક્રેશમાં ભાવનગરના 4 લોકોના મોત, તળાજાનું ડોક્ટર દંપતી ખંડિત થયું

Jun 12, 2025 - 23:30
Bhavnagar: પ્લેન ક્રેશમાં ભાવનગરના 4 લોકોના મોત, તળાજાનું ડોક્ટર દંપતી ખંડિત થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના 4 યાત્રીઓના મોત થયા છે. આ ઘટનામાં સોની પરિવારની દિકરી, જમાઈ, જેઠાણીનું અને તળાજાનું ડો.કાજલ પ્રદીપભાઈ સોલંકીનું દુર્ઘટનામાં મોત છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં મોત થતા પરિવામાં શોકનો માહોલ છવાયો છે.

પ્લેન ક્રેશમાં ભાવનગરના 4 લોકોના મોત

અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. તેમાં સવાર 236થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનામાં ભાવનગનો સોની પરિવાર પણ છે. ભાવનગરનો આ પરિવાર લંડન જઈ રહ્યો હતો. આ પરિવારના 3 લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો છે. જ્યારે પ્લેન દુર્ઘટનામાં તળાજાનું ડોક્ટર દંપતી ખંડિત થયું છે. ડો.કાજલ પ્રદીપભાઈ સોલંકીનું દુર્ઘટનામાં મોત થયું છે. આ પ્લેન ક્રેશની ઘટનામાં અલ્પા સોની, સ્વપ્નીલ સોની, યોગા સોનીનું મોત થયું છે.

સોની પરિવારના 3 લોકોના મોતથી શોક

પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોક સામેલ છે. જેમાં ભાવનગરોનો સોની પરિવાર પોતાના વતનથી લંડન જઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બનતા સોની પરિવારના 3લોકોના મોત થતા શોકનો માહોલ છવાયો હતો. ભાવનગર સોની પ્રેમજી વશરામ પરિવારના દિકરી,જમાઈ, અને દિકરીની જેઠાણી એમ 3 લોકો ફ્લાઇટમાં હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0