Bharuch:જિલ્લાના જંબુસર તાલુકાના બે સહિત કુલ ત્રણ રહીશોના મોત

Jun 13, 2025 - 04:30
Bharuch:જિલ્લાના જંબુસર તાલુકાના બે સહિત કુલ ત્રણ રહીશોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર રાષ્ટ્રીય એરાપોર્ટ પરથી લંડનના ગેટવિક જવા માટે ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની AI 171 ફ્લાઈટ ટેકઓફ થયાના તુરંત બાદ ક્રેશ થવાની ઘટનાથી રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે પ્લેનમાં 128 પુરુષ અને 114 મહિલાઓ મળી કુલ 242 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. પ્લેનક્રેશમાં મૃત્યુ પામનારની હજી ઓળખ થઈ નથી. ત્યારે તેમાં ભરૂચ જિલ્લાના 3 અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાસરોદના બે સહિત 5 જણાના પણ પ્લેનમાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.

ભરૂચની અલમીના સોસાયટીમાં શોકનું મોજું

અલમીના સોસાયટીના સલીમ મિસ્ટર (કાવીવાલા)ની પત્ની તેમની લંડન ખાતે રહેતી પુત્રીના ઘરે જવા આ પ્લેનમાં બેઠા હતા. દરમ્યાન દુર્ઘટના થતાં તેમનો પરિવાર ચિંતામા ગરકાવ થઈ ગયો છે. સલીમ મિસ્ટર તેમજ તેમના સંબંધીઓ તુરંત અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં તેમના સગા-સંબંધીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘટનાને લઈને અલમીના સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

પ્લેનમાં ખામી હતી તો ઉતારી લેવું હતું

જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલ ઉર્ફે ગડ્ડુનો પુત્ર સાહિલ પણ આ પ્લેનમાં સવાર હતો. તેની માતાએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, હજી તો અમે તેને અમદાવાદ છોડીને ઘરે આવ્યા છીએ અને એક કોળીયો મોમા મુકયો અને આ ઘટનાની જાણ થઈ. પ્લેનમાં ખામી હતી તો ઉતારી લેવુ હતુ, અમે પૈસા પાછા થોડા માંગત, પ્લેનવાળાની ભૂલના કારણે મે મારો પુત્ર ગુમાવ્યો તેવી હૈયાવરાળ સાહિલની માતાએ કાઢી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0