Banaskanthaમાં શિક્ષણ,સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની પાટીદાર સંસ્કાર મંડળ દ્રારા કરાઈ ઉજવણી

આજરોજ કરણાવત હાઇસ્કૂલ,પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતી સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુર દ્વારા શિક્ષણ,સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી. શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. 1971માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કરણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન, ગુણવત્તાયુક્ત અને રુચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારશ્રીએ લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી સરકારશ્રીએ સમાજના છેવાડાના વ્યક્તિઓને સશકત અને પગભર બનાવ્યા છે. આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવવું જરૂરી બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું કે,આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવીને સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ. સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે,ગુજરાત આજે સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચાર મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે જેનાથી આવનાર બે વર્ષમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે. શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી 1990 પછી પાટીદાર સમાજે પણ શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આજે ધંધા અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈને પ્રગતિ સાધી રહ્યો છે. વર્ષ 1971થી એક વર્ગખંડથી શરૂ થયેલી કરણાવત હાઇસ્કૂલને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે.શાળામાં 9 થી 12ના કુલ 18 વર્ગો કાર્યરત છે. આ સાથે બાળ વાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ તથા સુવર્ણ જયંતી સમાપન સમારોહનું આયોજન કરાયું હતું.

Banaskanthaમાં શિક્ષણ,સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની પાટીદાર સંસ્કાર મંડળ દ્રારા કરાઈ ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજરોજ કરણાવત હાઇસ્કૂલ,પાલનપુર ખાતે બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતી સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુર દ્વારા શિક્ષણ,સંસ્કાર અને પ્રગતિના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી.

શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ

આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. 1971માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કરણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047માં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન, ગુણવત્તાયુક્ત અને રુચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારશ્રીએ લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી સરકારશ્રીએ સમાજના છેવાડાના વ્યક્તિઓને સશકત અને પગભર બનાવ્યા છે.


આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવવું જરૂરી

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું કે,આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવીને સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ. સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે,ગુજરાત આજે સમગ્ર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચાર મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે જેનાથી આવનાર બે વર્ષમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે.


શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી

1990 પછી પાટીદાર સમાજે પણ શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આજે ધંધા અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈને પ્રગતિ સાધી રહ્યો છે. વર્ષ 1971થી એક વર્ગખંડથી શરૂ થયેલી કરણાવત હાઇસ્કૂલને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે.શાળામાં 9 થી 12ના કુલ 18 વર્ગો કાર્યરત છે. આ સાથે બાળ વાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ તથા સુવર્ણ જયંતી સમાપન સમારોહનું આયોજન કરાયું હતું.