Banaskantha News : દિયોદર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ભરતી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

Jul 18, 2025 - 14:00
Banaskantha News : દિયોદર તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર વ્યવસ્થાપકની ભરતી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના દિયોદર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપકની જગ્યા તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવાની થાય છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં ૧૪ - મોજરૂ નવા પ્રા.શાળા, ૩૫ - મેસરા પ્રા.શાળા, ૬૦ - પાલડી પરૂ પ્રા.શાળા, ૮૧ - ચિભડા પ્રા.શાળા, ૧૮૬ - વિસાનગર (કો) પ્રા.શાળા ખાતે જગ્યાઓ ભરવાની થાય છે.

નિરાધાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે

અરજદારોએ મામલતદાર કચેરી દિયોદરમાંથી અરજી ફોર્મ મેળવીને તા.૨૫/૦૭/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં. આ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પાસ તથા ઉંમર મર્યાદા ૨૦ વર્ષની તેમજ મહત્તમ ઉંમર સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે ૫૫ વર્ષ જ્યારે અનામત કેટેગરી માટે ૫૮ વર્ષની રહેશે. સ્થાનિક, વિધવા અને ત્યકતા, નિરાધાર મહિલાઓને અગ્રતા આપવામાં આવશે.

અરજદારો મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે

અરજદારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો (એલ.સી.), ઓળખપત્ર (આધારકાર્ડ/મતદાર કાર્ડ/રેશનકાર્ડ), જાતિ પ્રમાણપત્ર, રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ હોય તો તેની નકલ, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો ન હોવાનો પુરાવો), ત્યકતા/વિધવા હોવાનો દાખલો (જો લાગુ પડે તો), બેંક પાસબુક ની ઝેરોક્ષ, મુજબના ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાના રહેશે. આ અંગેની વધુ વિગતો અને શરતો માટે અરજદારો મામલતદાર કચેરી દિયોદરનો સંપર્ક કરી શકે છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0