Arvalli News : અરવલ્લીના ધનસુરામાં લૂંટારૂઓએ બંધક બનાવી ચલાવી લૂંટ, ટોળકીએ માસ્ક પહેરીને 2 લોકોને બનાવ્યા બંધક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના ધનસુરામાં બંધક બનાવી લૂંટની ઘટના બની છે જેમા વડા ગામમાં મોડી રાત્રે ફાર્મ હાઉસમાં લૂંટારું ત્રાટક્યા હોવાની વાત સામે આવી છે, 2 લોકો સૂઈ રહ્યાં હતા તે દરમિયાન તેમને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી છે, ટોળકીએ મોઢા પર માસ્ક બાંધ્યુ હતુ અને લૂંટ કરીને ફરાર થયા હતા, સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ટોળકીએ માસ્ક પહેરીને 2 લોકોને બનાવ્યા બંધક
અરવલ્લીના ધનસુરામાં લૂંટની ઘટના બની છે જેમાં લૂંટારૂઓએ ફાર્મ હાઉસમાં સૂતેલા 2 લોકોને બંધક બનાવીને રૂમમાં લઈ ગયા હતા અને લૂંટ કરી હતી, આ કેસમાં 6 લૂંટારૂઓ આવ્યા હતા, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, સમગ્ર ઘટનામાં પોલીસે આસપાસના લોકોના પણ નિવેદન લીધા છે અને તપાસ શરૂ કરી છે, જાણીતા લૂંટારૂઓએ લૂંટ કરી હોઈ શકે છે તેવી પોલીસને આશંકા છે, હથિયાર સાથે લૂંટારૂઓ લૂંટ કરવા માટે આવ્યા હતા.
જિલ્લા એલસીબી અને એસઓજી તપાસમાં જોડાઈ
સમગ્ર કેસની જાણ જિલ્લા પોલીસની થઈ છે અને તપાસમાં જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ તપાસ માટે જોડાઈ છે, આ કેસમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. નવરાત્રિના સમયે લૂંટ થતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે, તો ધનસુરા પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે, લૂંટ કરી લૂંટારૂઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હોઈ શકે છે, ત્યારે હવે આરોપીઓ ઝડપાશે ત્યારે સત્યતા સામે આવશે.
What's Your Reaction?






