Anand News : આણંદ મનપાએ બનાવેલો રોડ 15 દિવસમાં તૂટી ગયો, પાલિકા આ વાતથી અજાણ બની !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ મનપાએ બનાવેલો રોડ 15 દિવસમાં તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યકત કર્યો છે, આઝાદ મેદાનથી બેઠક મંદીર સુધી બનાવ્યો હતો રોડ અને તે રોડ તૂટી ગયો છે, ઠેર ઠેર ખાડા પડી જતા નબળી ગુણવત્તાનું મટીરીયલ મનપાએ ઉપયોગમાં લીધુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
આઝાદ મેદાનથી બેઠક મંદીર સુધીનો રોડ તૂટયો
આણંદ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા આઝાદ મેદાનથી બેઠક મંદીર સુધીનો RCC રોડ બનાવ્યાના 15 દિવસમાં જ તૂટી જતા અને ઠેર ઠેર ખાડા પડી જતા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે, અને મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.
વાહનચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું
આણંદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આઝાદ મેદાનથી બેઠક મંદીર સુધીના માર્ગને આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ આરસીસી રોડ બનાવ્યાના માત્ર 15 દિવસમાં જ આરસીસી રોડ ધોવાઈ ગયો છે, અને ઠેર ઠેર કપચી બહાર આવી ગઈ છે,, આરસીસી રોડ પર ખાડા પડી ગયા છે જેને લઇને વાહન ચાલકો અને સ્થાનિક રહિશો હાલાકીમાં મુકાયા છે.
15 દિવસ પહેલા જ બનાવ્યો હતો રોડ
15 દિવસ અગાઉ બનેલો આરસીસી રોડ ઠેર ઠેર તુટી જતા રોડ બનાવવામાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે નવો RCC રોડ બનાવ્યો તેના કરતા અમારો જૂનો રોડ સારો હતો.
What's Your Reaction?






