Anand : પત્નીના આડા સંબંધમાં યુવકની હત્યા કરાઇ હોવાનો પરિવારજનોનો ગંભીર આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો

Sep 11, 2025 - 14:00
Anand : પત્નીના આડા સંબંધમાં યુવકની હત્યા કરાઇ હોવાનો પરિવારજનોનો ગંભીર આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના ઉમરેઠ નજીકના દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ ગયા બાદ મોત થયું હોવાની ઘટનામાં ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવકના પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાનો આરોપ લગાવી પેનલ પીએમ કરાવાની માગ કરી હતી અને ભાલેજ પોલીસને આવેદનપત્ર આપ્યું હતું.

યુવકની હત્યા કરાયાની પરિજનોને આશંકા

દાગજીપુરા ગામના યુવકનું ટ્રેન નીચે કપાઇ જતા મોત થયું હતું અને આ સમગ્ર મામલામાં દાગજીપુરાના ગ્રામજનોએ ભાલેજ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માગ કરી હતી. આ યુવકની હત્યા કરાયાની પરિજનોને આશંકા છે.

પત્નીના આડા સંબંધના કારણે યુવકની હત્યા

પરિવારે આરોપ લગાવ્યા હતા કે યુવકની પત્નીના આડા સંબંધના કારણે યુવકની હત્યા કરાઇ છે. તેની પત્નીના પ્રેમી દ્વારા મૃતકને ધમકી પણ મળી હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો હતો. આ યુવકની હત્યા છે કે કેમ તે બાબતે ભાલેજ પોલીસ હાલમાં ઘટના તપાસ કરી રહી છે. પેનલ પીએમ કરવાની માગ

ઉમરેઠનાં દાગજીપુરા ખાતેથી રેલ્વે ટ્રેક ઉપરથી ૩૫ વર્ષીય યુવકની લાશ મુદ્દે ભાલેજ પોલીસ મથકે ગ્રામજનોનો જમાવડો જોવા મળ્યો હતો અને ભાલેજ પોલીસ હત્યાનો ગુન્હો નોંધી તપાસ કરે તેવી માંગ કરી હતી. મૃતક યુવકનું કરમસદ મેડિકલ ખાતે પેનલ દ્વારા પી.એમ. કરાય તેવી પરિવારજનોની માગણી કરાઇ હતી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0