Anand: કઠાણા-વડોદરા ટ્રેન શરૂ કરવાના ઊજળાં સંકેત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોરસદ અને આંકલાવ તાલુકાના 50થી વધુ ગામોના લોકો માટે છેલ્લા સાડા ચાર દાયકાથી આશીર્વાદ સમાન બનેલી કઠાણા-વડોદરા ટ્રેન કોરોના સમયગાળામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે કોરોના કાળથી બંધ થયેલી ટ્રેન પુનઃ શરૂ કરવામાં રેલવે વિભાગ દ્વારા છેલ્લા પાંચ-પાંચ વર્ષથી ઠાગાઠૈયા કરવામાં આવ્યા છે. મહીકાંઠામાં ટ્રેન વ્યવહાર બંધ થવાથી અનેક નોકરિયાતોને વડોદરા કે અન્યત્ર જવા આવવામાં અગવડતા પડતાં રોજગારી ગુમાવી દીધી છે. તો ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવવા-જવાનું મુશ્કેલી બન્યું હતું છતાં પણ ટ્રેન વ્યવહાર શરૂ કરવા માટે કોઈ જ અસરકારક કામગીરી કરવામાં આવી નહોતી. જોકે છેલ્લે છેલ્લે પણ ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રેન મામલે ઉગ્ર વલણ અપનાવ્યું હતું તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ દેખાવો કરી રજૂઆતો કરી હતી. જેથી આ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે રેલવે વિભાગે પણ પ્રારંભિક તબક્કામાં તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં જ એકાદ સપ્તાહ અગાઉ આંકલાવ રેલવે સ્ટેશન સુધી માલગાડીનું એન્જિન દોડાવવામાં આવ્યું હતું. જેથી આંકલાવ આસપાસના વિસ્તારમાં ભારે કૂતુહલ સાથે ટ્રેન વ્યવહાર શરૂ થવાની આશા બંધાઈ હતી. બાદમાં પુનઃ છેક કઠાણા સ્ટેશન સુધી ટ્રેનનું એન્જીન દોડાવાવમાં આવ્યું હતું. જેથી આગામી નજીકના દિવસોમાં જ કઠાણા-વડોદરા ટ્રેન પુનઃ ધમધમતો થવાથી શક્યતાઓ બળવત્તર બની છે. એક પખવાડીયા બીજી બીજી વખત રેલવે વિભાગ દ્વારા એન્જીન દોડાવવાની કામગીરી કરવામાં કરવામાં આવતાં મહીકાંઠા પંથકના 50થી વધુ ગામોના લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
What's Your Reaction?






