Amreli તાલુકાના ગામડાઓમાં દીપડાનો વધ્યો આતંક, ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકો ગભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાના આતંકે લોકોના જીવ તાળે મુક્યા છે. વાંકીયા, તરવડા અને બાબાપુર ગામોની સીમમાં દીપડાની અવરજવર એટલી વધી ગઈ છે કે હવે મજૂરો ખેતર પર કામ કરવા પણ જતા પણ ડરે છે. લોકો રોજિંદા જીવનમાં પણ ભય હેઠળ જીવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે,
ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાની લાગણી વકરતી જોવા મળે છે. ખાસ કરીને અમરેલી તાલુકાના વાંકીયા, તરવડા અને બાબાપુર ગામોમાં દીપડા તેમજ અન્ય જંગલી પ્રાણીઓની અવારનવાર અવરજવર થતી હોવાથી લોકો પોતાને ઘરના અગાસી સુધી પર સુરક્ષિત અનુભવી રહ્યા નથી. બાબાપુર ગામના ગ્રામજનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, અગાઉ જ્યાં ખેડૂત મજૂરો ખેતી કામ માટે વહેલી સવારે વાડીઓમાં જતાં, ત્યાં હવે દીપડાની અવરજવર વધતાં તેવું કરવું મુશ્કેલ બની ગયું છે.
ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી પણ નિરાકરણ નહી
ઘણી વખત દીપડા શ્વાનના શિકાર કરીને ગામની અંદર ભાગી જતા હોય છે, અને એ દ્રશ્યો લોકોમાં દહેશત ફેલાવે છે. વર્ષોથી આવી પરિસ્થિતિ ચાલુ હોવા છતાં વનવિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી. ગામના રહેવાસીઓનું કહેવું છે કે હવે તો ઉઘાડા ઘરોમાં સુવાય એ પણ શક્ય બન્યું નથી. રાત્રીના સમયે વાડીઓ તરફ જવું જોખમભર્યું બની ગયું છે. અગાવ 1 બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.
અમરેલી તાલુકાના તરવડા ગામમાં જંગલી પ્રાણીઓ હોય છે
ત્યારે ફક્ત બાબાપૂર નહીં અમરેલી તાલુકાના તરવડા ગામમાં જંગલી પ્રાણી અને ખાસ કરીને દીપડોનો આંતક ખુબજ રહે છે ગામના પાદરમાં કેટલાક સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અવાર નવાર દીપડાઓ આવી જાય છે અહીંયા વાડી વિસ્તારમાં મજૂરો કામ કરતા નથી જેના કારણે સરકાર પાસે મદદ માંગી છે, અહીં પણ વર્ષોથી દીપડાનો વસવાટ છે, જંગલમાં દીપડાને લઈ જવા માટે માંગ કરી અને દીપડાના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
વન વિભાગ સામે સ્થાનિકોએ કર્યા આક્ષેપ
ત્યારે અમરેલી તાલુકાના વાંકીયા ગામમા 1 વ્યક્તિ ઉપર સવારના સમયે ઘર પાસે દીપડાએ હુમલો કર્યો હતો પ્રથમ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ વધુ ઇજાઓ થતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, વનવિભાગને વાંરવાર રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ આવતું નથી ગ્રામજનો વનવિભાગ સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે વનવિભાગની નિષ્ક્રિતાના કારણે લોકોના ભોગ લેવાઈ રહ્યા છે.
અગાઉ પાંજરા મૂકી દીપડાને ન પકડતા ઘટના બની છે
દીપડાના આંતકના કારણે મજૂર વર્ગ ખાલી થવા લાગ્યો છે વાડીમાં ખેડૂતોને જાવું કેમ દીપડા સિંહ એટલા વન્યપ્રાણીનો ત્રાસ છે ખેડૂતોને ખેતી કરવી કેમ ખેડૂતોએ રજૂઆતો કરી સરપંચે પણ રજૂઆતો કરી વનવિભાગએ જાગૃત થય પગલાં લેવાની જરૂર છે અમારે આખા શેત્રુંજીના કાંઠામાં દીપડાઓ રહે છે અને પકડી કોઈ નિકાલ કરતા નથી. હાલ વાંકિયા ગામમાં એક વ્યક્તિ પર દિપડાએ હુમલો કર્યો હતો જેના પગલે વનવિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું હાલ 24 કલાક જેટલો સમય વીતવા છતાં હજુ દિપડો પાંજરે પુરાયો નથી ત્યારે ગામ લોકોની એક જ માંગ ઉઠી છે તાત્કાલિક આ દિપડાને પાંજરે પૂરવામાં આવે અને તેને દૂર મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
What's Your Reaction?






