Air India Plane Crash: MAYDAY..MAYDAY...ક્રેશ થતા પહેલા પાયલટે સિગ્નલ આપ્યુ પણ...

Jun 12, 2025 - 16:00
Air India Plane Crash: MAYDAY..MAYDAY...ક્રેશ થતા પહેલા પાયલટે સિગ્નલ આપ્યુ પણ...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં થયેલી પ્લેન દૂર્ઘટનાને લઇને મોટી માહિતી સામે આવી છે. સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદ એરપોર્ટના રનવે પરથી જ્યારે 1.39 કલાકે પ્લેન ટેક ઓફ થયુ ત્યારે પાયલટ દ્વારા એટીસીને સિગ્નલ મોકલવામાં આવ્યું હતું. આ સિગ્નલ છે જે ખતરો હોવાની શંકા જણાવે છે. બસ આ સિગ્નલ આપ્યુ અને થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થઇ ગયું.

કોણ ચલાવી રહ્યું હતું પ્લેન ? 

ડીજીસીએની તરફથી વિમાન દૂર્ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્લેન ટેકઓફ થયાના થોડી મિનિટોમાં જ ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં કુલ 242 યાત્રીઓ સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ હતા. આ પ્લેનને સુમિત સાભરવાલ ચલાવી રહ્યા હતા. તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતા.

પાયલટે આપ્યુ હતુ સિગ્નલ

સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ તેણે નજીકના ATC ને MAYDAY કોલ આપ્યો, પરંતુ ત્યારબાદ વિમાન દ્વારા ATC ને કોઈ સિગ્નલ આપવામાં આવ્યો નહીં. ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી, વિમાન એરપોર્ટ પરિસરની બહાર ક્રેશ થઇ ગયું.

શું હોય છે MAYDAL CALL ?

કોઇ પણ ફ્લાઇટમાં મેડેકોલ આપવામાં આવે મતલબ કે આ એક ઇમરજન્સી મેસેજ છે.

જે પાયલટ દ્વારા એવા સમયે આપવામાં આવે છે જ્યારે ગંભીર સંકટ હોય અને યાત્રીઓના જીવને ખતરો હોય.

ક્યારે અપાય છે MAYDAL CALL ?

  • વિમાનનુ એન્જિન ફેઇલ થાય
  • વિમાનમાં આગ લાગે
  • હવામાં ટકરાય
  • પ્લેન હાઇજેક થાય

 પાયલટ ઉપરની કોઇ પણ સ્થિતિ હોય ત્યારે એર ટ્રાફિક કંટ્રોલ અને નજીકના વિમાનોને એલર્ટ આપે છે કે હવે પ્લેનને મદદથી જરૂર છે. પાયલટ પ્લેનના રેડિયો પર ત્રણવાર બોલે છે "Mayday, Mayday, Mayday" આથી સ્પષ્ટ થઇ જાય કે આ કોઇ મજાક નથી, ગંભીર બાબત છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0