Ahmedabad:સિવિલ ટીબી હોસ્પિટલની નિર્દયતા બે દર્દીને રસ્તે રઝળતા મૂકી દેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ટીબીની સારવાર માટે આવેલા બે દર્દીઓને ડોક્ટરના કહેવાથી કાઢી મૂકાયા હોવાના આક્ષેપો થયા છે. એક લાચાર અને અશક્ત દર્દી હોસ્પિટલ કેમ્પસમાં રસ્તે રઝળતી હાલતમાં હોય એમ જોવા મળી રહ્યાનો વીડિયો પણ વાઇરલ થયો છે. આ વિવાદ વચ્ચે પોલીસને જાણ કરાતાં, પોલીસ તાબડતોબ દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સની મદદ લઈ બે દર્દીને ફરી વાર દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં સિક્યોરિટી સહિત હાજર સ્ટાફના નિવેદન લઈ તપાસ કરવામાં આવશે અને પગલાં ભરાશે. સિવિલની ટીબી હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, વાયરલ વીડિયોમાં કહેવાયું છે કે, ડોક્ટરે સિક્યોરિટી ગાર્ડને મોકલી મને બોલાવ્યો હતો અને પેશન્ટને રિક્ષામાં બહાર ઉતારી આવવા કહ્યું હતું. આમ બિનવારસી હાલતમાં બે દર્દીઓને કાઢી મુકાયા હતા. સમગ્ર ઘટના અંગે શાહીબાગ પોલીસ સ્ટેશન તરફથી કહેવાયું હતું કે, બે બિનવારસી દર્દીને લઈ
મેસેજ મળ્યો હતો, દર્દીઓને સારવારની જરૂર હોવાથી પોલીસે ફરીથી સારવાર માટે દાખલ કરાવ્યા હતા. આમ સિવિલના ડોક્ટરની નિર્દયતાની ચર્ચા સિવિલ કેમ્પસમાં જાગી છે. હોસ્પિટલ તંત્રે બચાવમાં કહ્યું હતું કે, 58વર્ષીય પુરણભાઈ અને 45વર્ષીય મનુભાઈ નામના દર્દીને ફરી વાર દાખલ કરાયા છે. 58વર્ષીય દર્દીને સોલા સિવિલ હોસ્પિટલેથી અસારવા સિવિલમાં રિફર કરાયા હતા. ટ્રોમા સેન્ટરથી રાતે 12.40વાગ્યા આસપાસ ટીબી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, અન્ય દર્દીને ગોધરા ખાતેથી અમદાવાદ સિવિલ રિફર કરાયા હતા. ટીબી હોસ્પિટલમાં નોન પોઝિટિવ વોર્ડમાં તેમની સારવાર અત્યારે ચાલી રહી છે. ગોધરાના આ દર્દી બોલી શકે તેવી સ્થિતિમાં નથી.
What's Your Reaction?






