Ahmedabadમાં શુભ અથાણાના પેકિંગમાંથી નિકળી મૃત ગરોળી,ગ્રાહક ચૌંકી ઉઠયો અને કરી ફરિયાદ

શુભ અથાણાના પેકીંગમાંથી નિકળી મૃત ગરોળી ગરોળી નિકળતા ગ્રાહકે કંપનીના કસ્ટરમર કેરમાં કર્યો કોલ કંપનીના કસ્ટમર કેર દ્વારા અન્ય પેકેટ આપવા કરી વાત અમદાવાદમાં અને ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં ખાધ્ય વસ્તુઓમાંથી મૃત જીવજંતુ અથવા વાળ નિકળતા હોય છે.ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં ગ્રાહકે શુભ અથાણા નામની કંપનીનું અથાણું ખરીધ્યું હતુ,અને ઘરે આવીને જોયું તો તેમાંથી મૃત ગરોળી નિકળી હતી,ગ્રાહકે કસ્ટરમર કેરમાં ફોન કરી આ બાબતે જાણ પણ કરી છે. 24 જૂન 2024ના રોજ વાડજમાં પીઝામાંથી વાળ નિકળ્યો અમદાવાદના વાડજમાં આવેલ RPS પીઝાની શોપમાં ગ્રાહકે પીઝા મંગાવ્યા,અડધા પીઝા ખાતા હતા તે દરમિયાન અચાનક વચ્ચે વાળ આવી જતા ગ્રાહક ચોંકી ઉઠયો હતો અને તેણે પીઝા શોપમાં ફરિયાદ કરી પણ સંતોષકારક જવાબ ના મળતા તેણે અમદાવાદ ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.તો કોર્પોરેશને વધુ તપાસ હાથધરી હતી. 24 જૂન 2024ના રોજ વલસાડની હોટલમાં રોટલીમાંથી વાળ નિકળ્યો વલસાડની જાણીતી હોટલમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાં થયા છે.ધરમપુર રોડ ઉપર આવેલ ઓરિઝોન હોટલમાં રોટલીમાંથી નિકળ્યો વાળ.ગ્રાહકે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે.અગાઉ પર ઓરિઝોન હોટલ આવી હતી વિવાદમાં તેમ છત્તા સુધરવાનુ નામ નથી લઈ રહ્યાં.આરોગ્ય વિભાગ દ્રારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ પર ક્યારે કરવામાં આવશે કાર્યવાહી તે એક સવાલ છે. 16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. 19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી. મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી 13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાગૃત બન્યા છે. ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે? છેલ્લા 15 દિવસમાં અનેક ઘટનાઓ બની ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.

Ahmedabadમાં શુભ અથાણાના પેકિંગમાંથી નિકળી મૃત ગરોળી,ગ્રાહક ચૌંકી ઉઠયો અને કરી ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શુભ અથાણાના પેકીંગમાંથી નિકળી મૃત ગરોળી
  • ગરોળી નિકળતા ગ્રાહકે કંપનીના કસ્ટરમર કેરમાં કર્યો કોલ
  • કંપનીના કસ્ટમર કેર દ્વારા અન્ય પેકેટ આપવા કરી વાત

અમદાવાદમાં અને ગુજરાતમાં એવી અનેક ઘટનાઓ બની છે કે જેમાં ખાધ્ય વસ્તુઓમાંથી મૃત જીવજંતુ અથવા વાળ નિકળતા હોય છે.ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં ગ્રાહકે શુભ અથાણા નામની કંપનીનું અથાણું ખરીધ્યું હતુ,અને ઘરે આવીને જોયું તો તેમાંથી મૃત ગરોળી નિકળી હતી,ગ્રાહકે કસ્ટરમર કેરમાં ફોન કરી આ બાબતે જાણ પણ કરી છે.

24 જૂન 2024ના રોજ વાડજમાં પીઝામાંથી વાળ નિકળ્યો

અમદાવાદના વાડજમાં આવેલ RPS પીઝાની શોપમાં ગ્રાહકે પીઝા મંગાવ્યા,અડધા પીઝા ખાતા હતા તે દરમિયાન અચાનક વચ્ચે વાળ આવી જતા ગ્રાહક ચોંકી ઉઠયો હતો અને તેણે પીઝા શોપમાં ફરિયાદ કરી પણ સંતોષકારક જવાબ ના મળતા તેણે અમદાવાદ ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.તો કોર્પોરેશને વધુ તપાસ હાથધરી હતી.


24 જૂન 2024ના રોજ વલસાડની હોટલમાં રોટલીમાંથી વાળ નિકળ્યો

વલસાડની જાણીતી હોટલમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાં થયા છે.ધરમપુર રોડ ઉપર આવેલ ઓરિઝોન હોટલમાં રોટલીમાંથી નિકળ્યો વાળ.ગ્રાહકે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે.અગાઉ પર ઓરિઝોન હોટલ આવી હતી વિવાદમાં તેમ છત્તા સુધરવાનુ નામ નથી લઈ રહ્યાં.આરોગ્ય વિભાગ દ્રારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલ પર ક્યારે કરવામાં આવશે કાર્યવાહી તે એક સવાલ છે.

16 જૂન 2024ના રોજ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી

અમદાવાદના પાલડીમાં આવેલા દાસ ખમણની સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નિકળી હતી.ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ ચટણીમાંથી જીવાત નિકળી હોવા અંગેની ફરિયાદ કરી હતી. દુકાન માલિકે આ બાબત સ્વીકારી હવે ફરીથી આવું નહીં થાય તેમ કહી માફી માંગી લીધી હતી. આ બાબતે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.


19 જૂન 2024ના રોજ બાલાજી વેફરમાંથી દેડકો નિકળ્યો

જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નિકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નિકળતા ગ્રાહકમાં આશ્ચર્ય સર્જાયુ હતુ.તો આરોગ્ય વિભાગે આ બાબતે વધુ તપાસ હાથધરી હતી.

મુંબઈમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી

13 જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું. જ્યારે તેણે આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવની કપાયેલી આંગળી મળી. આ પછી સનસનાટી મચી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાગૃત બન્યા છે.

ખાધ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાધ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

છેલ્લા 15 દિવસમાં અનેક ઘટનાઓ બની

ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા 10 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.