Ahmedabadમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ એસિડ પીને કર્યો આપઘાત, થયા મોટા ખુલાસા

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,જી હા અમદાવાદના નારોલમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ એસિડ પીને આપઘાત કર્યો છે જેના કારણે પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે પુત્રવધુના ત્રાસથી સસરા કંટાળી ગયા હતા અને આપઘાત કર્યો છે. સસરાએ કર્યો આપઘાત અમદાવાદના નારોલમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ આપઘાત કરતા પોલીસે તપાસ હાથધરી છે,સસરાએ સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે.જેમાં સસરાએ લખ્યું છે કે પુત્રવધુના ત્રાસથી આપઘાત કરુ છું,પોલીસે આ સ્યુસાઈડ નોટ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથધરી છે.હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપ્યો છે,તો મૃતદેહનુ પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,નારોલ પોલીસે પુત્રવધુ સામે ગુનો નોંધ્યો છે. પુત્રવધુ કરતી હતી બ્યુટીપાર્લરનો ધંધો નારોલમાં પુત્રવધુ બ્યુટીપાર્લરનો ધંધો કરતી હતી અને તે સસરાને ગમતું ન હતું જેને લઈ અવાર-નવાર સસરા અને પુત્રવધુને બોલાચાલી પણ થતી હતી,સસરાએ કહ્યું કે તમે બ્યુટીપાર્લરનો ધંધો બંધ કરી દો પણ પુત્રવધુ બંધ કરતી ન હતી જેને લઈ સસરાને લાગી આવ્યું અને તેમણે એસિડ પીને આપઘાત કરી લીધો હતો,પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. પોલીસે પરિવારજનોની કરી પૂછપરછ સમગ્ર ઘટનામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી છે હાલના તબક્કે પરિવારના સભ્યોના નિવેદનો પણ લીધા છે,પરિવારજનોનું કહેવું છે કે પુત્રવધુ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે,સસરા અને પુત્રવધુને છેલ્લા છ મહિનાથી ઝઘડો ચાલી રહ્યો હતો અને પુત્રએ પણ તેમની પત્નીને સમજાવ્યા હતા પણ પત્ની સ્વભાવે આકરા હોવાથી તેઓએ તેમના સસરાનું પણ માન રાખ્યું નહી અને છેલ્લે પરિવારને તેમનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે,પોલીસ પણ કડક કાર્યવાહી કરી ઉદાહરણ સમાજમાં બેસાડે તે જરૂરી છે.

Ahmedabadમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ એસિડ પીને કર્યો આપઘાત, થયા મોટા ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,જી હા અમદાવાદના નારોલમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ એસિડ પીને આપઘાત કર્યો છે જેના કારણે પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે પુત્રવધુના ત્રાસથી સસરા કંટાળી ગયા હતા અને આપઘાત કર્યો છે.

સસરાએ કર્યો આપઘાત

અમદાવાદના નારોલમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ આપઘાત કરતા પોલીસે તપાસ હાથધરી છે,સસરાએ સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે.જેમાં સસરાએ લખ્યું છે કે પુત્રવધુના ત્રાસથી આપઘાત કરુ છું,પોલીસે આ સ્યુસાઈડ નોટ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથધરી છે.હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પીએમ અર્થે મોકલી આપ્યો છે,તો મૃતદેહનુ પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,નારોલ પોલીસે પુત્રવધુ સામે ગુનો નોંધ્યો છે.

પુત્રવધુ કરતી હતી બ્યુટીપાર્લરનો ધંધો

નારોલમાં પુત્રવધુ બ્યુટીપાર્લરનો ધંધો કરતી હતી અને તે સસરાને ગમતું ન હતું જેને લઈ અવાર-નવાર સસરા અને પુત્રવધુને બોલાચાલી પણ થતી હતી,સસરાએ કહ્યું કે તમે બ્યુટીપાર્લરનો ધંધો બંધ કરી દો પણ પુત્રવધુ બંધ કરતી ન હતી જેને લઈ સસરાને લાગી આવ્યું અને તેમણે એસિડ પીને આપઘાત કરી લીધો હતો,પોલીસની તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

પોલીસે પરિવારજનોની કરી પૂછપરછ

સમગ્ર ઘટનામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી છે હાલના તબક્કે પરિવારના સભ્યોના નિવેદનો પણ લીધા છે,પરિવારજનોનું કહેવું છે કે પુત્રવધુ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે,સસરા અને પુત્રવધુને છેલ્લા છ મહિનાથી ઝઘડો ચાલી રહ્યો હતો અને પુત્રએ પણ તેમની પત્નીને સમજાવ્યા હતા પણ પત્ની સ્વભાવે આકરા હોવાથી તેઓએ તેમના સસરાનું પણ માન રાખ્યું નહી અને છેલ્લે પરિવારને તેમનો મોભી ગુમાવવાનો વારો આવ્યો છે,પોલીસ પણ કડક કાર્યવાહી કરી ઉદાહરણ સમાજમાં બેસાડે તે જરૂરી છે.