Ahmedabadમાં કોગ્રેસ ઓફીસ પર પથ્થરમારાને લઈ રાહુલ ગાંધીની પોસ્ટ,ભાજપ મૂળ સિંધ્ધાતો સમજે

હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી - રાહુલ ગાંધી ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે - રાહુલ ગાંધી ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાત્રે 4 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું, જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રોષમાં હતા તથા સક્રિય હતા. બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. બાદમાં ભાજપની યુવા પાંખ, યુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા. અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ એકસ પર કરી પોસ્ટ આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે. મોડી રાતની ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો રાહુલ ગાંધીના ગઈકાલના નિવેદન બાદ ગઈકાલે જ મોડી રાત ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

Ahmedabadમાં કોગ્રેસ ઓફીસ પર પથ્થરમારાને લઈ રાહુલ ગાંધીની પોસ્ટ,ભાજપ મૂળ સિંધ્ધાતો સમજે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી - રાહુલ ગાંધી
  • ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે - રાહુલ ગાંધી
  • ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે

રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાત્રે 4 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું, જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રોષમાં હતા તથા સક્રિય હતા. બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. બાદમાં ભાજપની યુવા પાંખ, યુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા.

અમદાવાદ કોગ્રેસ કાર્યાલય પર બંદોબસ્ત ગોઠવાયો

બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો. 30 મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો, ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોલીસે અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ એકસ પર કરી પોસ્ટ

આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.

મોડી રાતની ઘટના બાદ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો

રાહુલ ગાંધીના ગઈકાલના નિવેદન બાદ ગઈકાલે જ મોડી રાત ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર મોટી સંખ્યામાં બજરંગદળ અને VHPના કાર્યકરો પહોંચ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસ ખાતે રાહુલ ગાંધીનાં પોસ્ટર ફાડી દીધાં હતાં, તો કેટલાંક પોસ્ટર પર સ્પે મારી દીધા હતા. કોંગ્રેસના કાર્યાલયની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. આ અંગેના ફોટો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ બનાવની જાણ થતાં વહેલી સવારથી જ કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા.

ભાજપ-કોંગ્રેસ કાર્યકરો સામસામે આવી ગયા

ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.