Ahmedabad:પૂર્વમાં એક ઈંચ જેટલા વરસાદમાં ગટરો ઊભરાઈ, રસ્તાઓ પર પાણી ભરાયાં

Jun 17, 2025 - 03:30
Ahmedabad:પૂર્વમાં એક ઈંચ જેટલા વરસાદમાં ગટરો ઊભરાઈ, રસ્તાઓ પર પાણી ભરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમવારે શહેરમાં ભારે બફારા વચ્ચે વરસાદનું અનેક વિસ્તારોમાં આગમન કરી દીધું છે. જેના સાથે જ પૂર્વના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવા અને કેચપીટની યોગ્ય રીતે સફાઈ ન થવાના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પરથી પાણી પણ ચાલતા થઈ ગયા છે. પૂર્વના શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ અને અસારવા વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. તેમજ રામોલ, સીટીએમ, ઠક્કરબાપાનગર, અમરાઈવાડી વિસ્તારમાં ગટરીયા પાણીના કારણે લોકોની મુશ્કેલી હેરાનગતિ વધી રહી છે. આ સાથે જ મ્યુનિ. કોર્પોરેશનના વરસાદી પાણી ન ભરાવવાના દાવા પોકળ સાબિત થયા છે. સિવિલ હોસ્પિટલની નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો જેના કારણે વિમાન ક્રેશના મૃતકોના મૃતદેહની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી.

મોડી સાંજે ધોધમાર વરસાદના કારણે સૈજપુરબોઘામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા અને લોકોની હાડમારી વધી હતી.

આ તરફ સીટીએમ વિસ્તારમાં દર વખતના ચોમાસાની જેમ વરસાદના પહેલાં જ ઝાપટામાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા છે. જેના કારણે શહેરની બહાર અવરજવર કરતાં લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડયો છે. જ્યારે સિંધવાઈ માતાના મંદિર પાસે અને અમરાઈવાડી વિસ્તારમાં લાંબા સમયથી કેચપીટના સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય લાઈન નાખવાની કામગીરી માટે રજૂઆત કરવા છતાં પણ કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતાં પાણી ભરાઈ ગયા હતા અને લાંબા સમય સુધી પાણીનો નિકાલ થયો ન હતો.

સીટીએમથી જશોદાનગરના રોડ પર ખુલ્લી પાઈપોમાં કચરો ફસાઈ ગયો

સીટીએમ રોડથી જશોદાનગર તરફ જતાં રોડ પર વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ સમયસર પૂર્ણ ન થતાં ખુલ્લા પાઈપોમાં સામાન્ય વરસાદમાં પાણીની સાથે કચરો અને પ્લાસ્ટિકની ગંદકી પણ ખેંચાઈને આવી ગઈ છે. જેના કારણે વરસાદથી લાઈન બ્લોક થવાની પણ સ્થિતિ જોવા મળી રહી છે. આ રોડના અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી પણ કામગીરી સમયસર કરવામાં ન આવતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે અને લોકોની મુશ્કેલી વધી છે.

ઠક્કરબાપા નગર નજીક ખુલ્લા ગટરના ઢાંકાણાથી લોકો પરેશાન

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન અને ગટરના લાઈન ઢાંકણ બનાવવા અને તેના રિપેરિંગ માટેના તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ઠક્કરબાપા નગર ચાર રસ્તા નજીક અને બલરામ ચેમ્બર આગળ છેલ્લા ઘણાં સમયથી ગટરના ચેમ્બરના ઢાંકણ ખુલ્લા રહેલા છે. જેમાં પણ ગટર લાઈન બ્લોક હોવાના કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જ્યારે તેના અંગે ફરિયાદ કરવામાં આવી તો તેનો નિકાલ કરવામાં પણ તંત્ર દ્વારા આનાકાની કરવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0