Ahmedabadના વસ્ત્રાલ રિંગ રોડ પર તળાવ ઓવરફલો, વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે તેની સામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે, અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલું તળાવ વરસાદના કારણે ઓવરફલો થયું છે અને તળાવનું પાણી બહાર આવી ગયું છે, ત્યારે આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, તળવાની પાળી છે તેને પણ ક્રોસ કરીને પાણી છલકાઈને બહાર આવી ગયું છે.
અમદાવાદનું વસ્ત્રાલ રિંગ રોડ પરનું તળાવ ઓવરફ્લો
અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પરનું તળાવ ઓવરફલો થયું છે અને વરસાદી પાણીનો નિકાલ આ તળાવમાં થાય છે જેના કારણે તળાવ ઓવરફલો થયું છે, વરસાદમાં શહેરના મોટાભાગના તળાવો છલકાયા છે અને ગઈકાલે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, તળાવ ઓવરફલો થયું છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ઘરમાં બીમારી આવે તેવું લાગી રહ્યું છે.
તળાવ છલકાતા સ્થાનિકો ચિંતામાં
આ તળવા જે જગ્યા પર આવેલું છે તેની આસપાસ રહેણાંક વિસ્તાર છે અને તે વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, તળાવ તો ઓવરફલો થયું સાથે સાથે ફલેટમાં પણ પાણી આવી જાય તળાવનું તેવી સ્થિતિનું સર્જન થયું છે, વિસ્તારના ધારાસભ્ય બાબુસિંહ જાદવ કે કોર્પોરેટરો આ જગ્યા પર જોવા પણ આવ્યા નથી, કોર્પોરેશનના અધિકારીઓ પણ જોવા આવ્યા નથી, તળાવના પાણીનો જલદીથી નિકાલ થાય તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે, એક સામાન્ય વરસાદમાં તળાવ છલકાઈ ગયું છે.
What's Your Reaction?






