Ahmedabadના બહેરામપુરામાં દુકાનની છત તૂટવાનો મામલો, ઇજાગ્રસ્ત બે યુવકોમાંથી એકનું કરુણ મોત

Sep 8, 2025 - 01:00
Ahmedabadના બહેરામપુરામાં દુકાનની છત તૂટવાનો મામલો, ઇજાગ્રસ્ત બે યુવકોમાંથી એકનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટનામાં એક દુકાનની છત તૂટી પડતા એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાએ જૂના અને જર્જરિત બાંધકામોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બની હતી. જ્યાં અચાનક દુકાનની જૂની અને જર્જરિત છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના બની ત્યારે બે યુવકો દુકાનમાં હાજર હતા.

દુકાનની છત તૂટનાવી ઘટનામાં 2 યુવક થયા હતા ઇજાગ્રસ્ત

છતનો કાટમાળ તેમના પર પડતા બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિકો અને રાહત કર્મીઓએ બંને ઇજાગ્રસ્ત યુવકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં લાગી ગયા હતા. બંને યુવકોને બહાર કાઢીને તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઇજાગ્રસ્ત બે યુવકોમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય યુવકની સારવાર હાલ ચાલી રહી છે.

પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી 

આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર જૂના અને જર્જરીત બનેલા મકાનોમાં રહેતા કે ત્યાં કામ કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્રને નક્કર પગલાં ભરવાની જરૂરિયાત દર્શાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0