Ahmedabadના નારોલ-લાંભા રોડ પર અકસ્માત, કાર ચાલકે દંપતી અને બે બાળકોને મારી ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નારોલ-લાંભા રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા એક દંપતી અને તેમના બે માસૂમ બાળકોને ટક્કર મારતા ચારેય ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા 4 ઘાયલ
આ ઘટના નારોલ-લાંભા રોડ પર બની હતી. એક કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેણે નિયંત્રણ ગુમાવીને એક બાઇકને ટક્કર મારી હતી. બાઇક પર એક જ પરિવારના ચાર સભ્યો સવાર હતા. જેમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
પતિ-પત્ની અને 2 બાળકોને હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બાઇકને પણ મોટું નુકસાન થયું છે. ઘટના બનતાની સાથે જ લોકોનું ટોળું સ્થળ પર એકઠું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક K ડિવિઝનની પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહન ચલાવનારાઓ સામે સવાલો ઊભા કર્યા છે.
What's Your Reaction?






