Ahmedabad: હાથીજણ ગામ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

Jul 9, 2025 - 06:30
Ahmedabad: હાથીજણ ગામ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં ઠેર-ઠેર પાણીની ફરિયાદ હવે મુશ્કેલીમાં વધારો કરી રહી છે. હાથીજણ ગામ થી વાચ જવાના રસ્તા પર કેનાલની અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતાં સ્થાનિક ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેના અંગે ખેડૂતો અને સ્થાનિકો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મ્યુનિ. કોર્પોરેશનને પગલાં ભરવા માટેની માંગણી કરી છે. પરંતુ હજી સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે ખેડૂતો અને સ્થાનિકો બંને પરેશાન થઈ રહ્યા છે. આ અંગે રજૂઆત કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, વરસાદ શરૂ થતાં જ રામોલ રિંગરોડથી હાથીજણ ગામથી સ્વામી નારાયણ મંદિર પાસેના નાની કેનાલમાં કેનાલમાં પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને પણ પુષ્કળ દુર્ગંધ મારે છે, તેમજ નજીકના ખેતરોમાં પણ ખરાબ પાણી ભરાઈ રહ્યું છે. આ માટે અવરનવર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મ્યુનિ. કોર્પોરેશનને રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે કેનાલની નજીકમાં ઘણી કેમિકલની અને અન્ય પ્રોડ્કટની ફેક્ટરીઓ આવેલી છે. જેના દ્વારા અવરનવર આ પ્રકારનું પાણી છોડવામાં આવતું હોય છે. તેથી ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી અને રજુઆત છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0