Ahmedabad: સાણંદમાં પ્રેમસંબંધમાં યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો, નોંધાઈ પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલા ઠાકોરવાસ પાસેથી 31 મેના રોજ સન્ની ઠાકોર નામના યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. યુવતી સાથે પ્રેમ સંબંધમાં યુવતીના પિતા અને તેના પરિવારે યુવકનું અપહરણ કર્યુ હતું. યુવકને નિધરાડ ગામના સ્મશાનમાં લઈ જઈને માર માર્યો હતો. જે અંગે યુવકે સાણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીની દીકરી સાથે યુવકનો પ્રેમ સંબંધ હોવાનું સામે આવતા યુવતીની પણ પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવક અને યુવતી છેલ્લા 6-7 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા
સાણંદમાંથી યુવક સન્ની ઠાકોરનું અપહરણ કરી માર મારવા મામલે પોલીસે યુવતીના પિતા લક્ષ્મણ ઠાકોર સહિત જયેશ ડાભી, રણછોડભાઈ ઠાકોર, જગદીશ વાઘેલા અને વિક્રમ વાઘેલાની ધરપકડ કરી છે. યુવતીના પિતા લક્ષ્મણ ઠાકોરને તેમની દીકરીનું સન્ની ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળતા, તેમના ભાણા જયેશ ડાભીને વાત કરી હતી. તે બાદ જયેશે પોતાના મિત્રો સાથે મળી યુવકનું અપરણ કર્યું અને તેને માર માર્યો હતો.
આરોપી પોલીસ કસ્ટડીમાં પણ મૂછો પર તાવ આપતો જોવા મળ્યો
બીજી તરફ પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી કે યુવક અને યુવતી છેલ્લા 6-7 વર્ષથી એકબીજાના પરિચયમાં અને સંબંધમાં હતા. અપહરણના કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આરોપી પોલીસ કસ્ટડીમાં પણ મૂછો પર તાવ આપતો જોવા મળ્યો હતો. જેથી ગુનો કર્યા બાદ પણ આરોપીને કોઈ પસ્તાવો ન હોય તેવું લાગી રહ્યું છે સાથે જ અપહરણ જેવા ગંભીર ગુના બાદ પણ આરોપીની આ હરકત પોલીસ માટે શરમજનક છે.
What's Your Reaction?






