Ahmedabad: શહેરના વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાનો મામલો ફરી ગૂંચવાયો, જાણો કારણ

Jun 10, 2025 - 19:00
Ahmedabad: શહેરના વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાનો મામલો ફરી ગૂંચવાયો, જાણો કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાનો મુદ્દો ફરી એકવાર ગૂંચવાયો છે. હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા માટે મનપાએ બહાર પાડેલા ટેન્ડરમાં પાંચ એજન્સીઓ શોર્ટ લિસ્ટ થઈ હતી. પાંચ પૈકી ત્રણ એજન્સીઓ અગાઉ ડિસક્વોલિફાય થઈ છે. બાકી રહેલ મહારાષ્ટ્રની બે એજન્સીઓને લઈને મામલો ગૂંચવાયો છે. આ સમગ્ર મામલે અમદાવાદ મહાનગર પાલિકા કાયદાકીય અભિપ્રાય લેશે. જરૂર જણાશે તો મનપા બ્રિજ તોડવા રિ-ટેન્ડરની કામગીરી કરાશે.

હાટકેશ્વર બ્રિજ તોડવા મનપા કાયદાકીય અભિપ્રાય લેશે
વર્ષ 2017માં બ્રિજ બન્યો હતો અને વર્ષ 2022થી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. શહેરના માથાના દુ:ખાવા સમાન હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટ્રાચારને કારણે નબળો અને હલકી કક્ષાનો હોવાનું બહાર આવ્યા પછી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે ફરી એકવાર ગૂંચવાતા પાલિકા કાયદાકીય અભિપ્રાય લેશે, અને જરૂર જણાશે તો મહાનગર પાલિકા ફરી બ્રિજ તોડવાની ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરશે.

મહારાષ્ટ્રની બે એજન્સીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી
મહત્વનું છે કે બ્રિજ પર ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા. બ્રિજ પર પડેલા ખાડાઓથી પોલાણ દેખાતું હતું અને અનેક જગ્યાઓ પરથી બ્રિજના સળિયા પણ દેખાઈ ગયા હતા. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા ઉતારી લેવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ મહારાષ્ટ્રની બે એજન્સીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી જેને લઈને મામલો ગૂંચવાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0