Ahmedabad: વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધનીગર પહોંચ્યા, પ્લેન દુર્ઘટનામાં પૂર્વસીએમનું નિધન

Jun 14, 2025 - 13:00
Ahmedabad: વિજય રૂપાણીના પુત્ર ઋષભ ગાંધનીગર પહોંચ્યા, પ્લેન દુર્ઘટનામાં પૂર્વસીએમનું નિધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત માટે આ ગુરુવાર 12 જૂનનો દિવસ ગોઝારો સાબિત થયો. આ દિવસે અમદાવાદમાં એરઈન્ડિયાનું લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ પ્રવાસ કરતા હતા. વિજયરૂપાણી લંડન સ્થિતિ તેમની પુત્રી પાસે જવા એરઈન્ડિયાની ફલાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન વિમાને ઇડાન ભર્યાના થોડી જ ક્ષણમાં શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જમીન દોસ્ત થયું. આ પ્લેન અકસ્માતમાં તમામ પ્રવાસીઓ સહિત પૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયું. 

પ્લેન ક્રેશ અકસ્માતમાં વિજય રુપાણીનું નિધન થતા ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે. આ દુર્ઘટના બાદ ગતરોજ વિજયરૂપાણીના પત્ની અંજલિ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને આજે સવારે પૂર્વ સીએમના પુત્ર ઋષભ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગાંધીનગર પહોંચ્યા હતા. DNA રિપોર્ટ આવ્યા બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીના નશ્વર દેહને અંતિમ વિધિ માટે સોંપવામાં આવશે. ત્યારબાદ વિજય રુપાણીના નશ્વર દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે અને રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

પૂર્વ સીએમ વિજય રુપાણીના પરિવારજનો આવી જતા આજે રાજકોટમાં પ્રકાશ સોસાયટી સ્થિત ઘર આજે ખોલવામાં આવ્યું છે. આજે ભાજપના અગ્રણીઓ રુપાણીના ઘરે પહોંચ્યા. ભાજપના અગ્રણીઓ કમલેશ મીરાની, પુષ્કર પટેલ અને મનીષભાઈ રાડિયા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. તેમના નિવાસસ્થાનેથી પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા બાદ વિજયરૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. જોકે તમામ પ્રક્રિયા માટે પરિવાર દ્વારા સત્તાવાર નક્કી થયા બાદ વિગતો જાહેર કરવામાં આવશે. વિજયભાઈરૂપાણીના અંતિમ સંસ્કાર સ્થાન અને સમય DNA મેચ થયા પછી જાહેર કરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0