Ahmedabad: લો બોલો.... ઉછીના રૂપિયા ના આપતા યુવકની કરાઈ હત્યા, આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અત્યાર સુધી ઉછીના રૂપિયા પરત લેવા માટે હત્યાના બનાવો સામે આવ્યા છે, પરંતુ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં ઉછીના રૂપિયા ન આપવાને લઈને હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં પૈસા ના આપવાને લઈને આ હત્યા કરવામાં આવી છે.
મિત્રને ઉછીના રૂપિયા આપવાની ના પાડી
અમદાવાદ શહેરમાં બે દિવસમાં બે હત્યાના બનાવો સામે આવ્યા છે. શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મહમ્મદ હુસૈન નામનો યુવક 10મી ફેબ્રુઆરીએ કાલુપુર ઘી બજારમાં આવેલી એક દુકાનના ઓટલા પર સૂતો હતો, ત્યારે ભૂષણ ઉર્ફે શિવ નામનો તેનો મિત્ર તેની પાસે આવ્યો હતો. આ સમયે મહમ્મદ હુસૈને તેના મિત્રને ઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. આના પછી ભૂષણ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને મહમ્મદ હુસૈન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.
પથ્થર લઈને હુસૈનને માથામાં ત્રણથી ચાર ઘા માર્યા
બંને વચ્ચેની માથાકૂટ ઉગ્ર બની ગઈ હતી, જેમાં ભૂષણે બાજુમાં પડેલો પથ્થર લઈને હુસૈનને માથામાં ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. બનાવ દરમ્યાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ભીડ ભેગી થતા લોકોના ડરથી ભૂષણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોએ ઈજાગ્રસ્ત હુસૈનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન હુસૈન સ્વસ્થ હતો, જો કે બીજા દિવસે અચાનક હુસૈનનું મોત થઈ જતા પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મૃતક મહમ્મદ હુસૈન દારૂ પીવાની ટેવ ધરાવતો હતો
આરોપી યુવકને જાણ નહોતી કે હુસૈનનું મોત થયું છે, આ કારણથી આરોપી વિસ્તારમાં જ હતો તે દરમ્યાન પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી, આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભૂષણ પણ છૂટક મજૂરી કામ કરે છે. જેથી બંને વચ્ચે છેલ્લા 2 વર્ષથી મિત્રતા હતી. મૃતક મહમ્મદ હુસૈન દારૂ પીવાની ટેવ વાળો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે કેટલા રૂપિયાની માગણી કરી હતી અને અગાઉ કોઈ રૂપિયાની લેતી દેતી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






