Ahmedabad : રથયાત્રાની ભવ્ય ઉજવણી પૂર્વે જાહેરહિતમાં AMCનો મહત્વનો નિર્ણય

Jun 25, 2025 - 09:30
Ahmedabad : રથયાત્રાની ભવ્ય ઉજવણી પૂર્વે જાહેરહિતમાં AMCનો મહત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રાને દિવસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી રહી છે. દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાના દિવસે અકસ્માત અને દુર્ઘટના ટાળવા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સઘન તૈયારી હાથ ધરવામાં આવી છે.

રથયાત્રા પૂર્વ પોલીસ અને તંત્રની મોટી તૈયારી
શહેરમાં તારીખ 27ના રોજ રથયાત્રાની ભવ્ય ઉજવણી થશે. મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટમાં યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લોકોના જાહેરહિતને ધ્યાનમાં રાખી મનપા દ્વારા બિનસલામત, જર્જરીત અને નબળા મકાનોને લઈને ચેતવણી આપવામાં આવી હતી કે આવા સ્થાનો પર રથયાત્રા દરમિયાન વધુ લોકો ભેગા ના થાય.

વેપારી મકાન માલિકોને આપી ચેતવણી
જે મકાનમાં ગેલેરી અને ઝરુખાનું બાંધકામ નબળું હોય ત્યાં વધુ ભીડ ભેગી ના થાય. આ ઉપરાંત રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં રસ્તા ઉપરના મકાનમાલિકો અને કબજેદારો તથા દુકાનદારોને પણ ચેતવણી આપવામાં આવી હતી કે રથયાત્રાના રૂટ પર ઇંટ, કપચી, ગ્રીટ, રેતી, સિમેન્ટ, લોંખડના સળીયા, માટી, તેમજ ડેબ્રીજ જેવા બિલ્ડીંગ મટીરરીયલ્સ હોય તો તેને સ્થાન પરથી ઉપાડી લેવા. જે પણ વેપારી કે મકાનમાલિક આ કામગીરીમાં બેદરકારી રાખશે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા જાહેરહિતમાં મનપા દ્વારા કામગીરી કરવામાં આવી.

મંદિરમાં આજે નેત્રોત્સવની વિધિ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા વિવિધ ઉત્સવ અને કાર્યક્રમ યોજાય છે, જેમાં નેત્રોત્સવ વિધિની પરંપરાગત પૌરાણિક કથા છે. રથયાત્રા પૂર્વે જગન્નાથજી આજે નિજ મંદિર પરત ફરશે અને ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલદેવજીની વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ વિધિ બાદ ભગવાનના આંખે પાટા બંધાશે અને મંદિરમાં ભગવાનની ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0