Ahmedabad: મકાન-દુકાન વેચવાના બહાને 92 લાખની છેતરપિંડી કરનારા 2 લોકો ઝડપાયા

Nov 30, 2024 - 17:00
Ahmedabad: મકાન-દુકાન વેચવાના બહાને 92 લાખની છેતરપિંડી કરનારા 2 લોકો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં મકાન અને દુકાનનું વેચાણ કરવાના નામે દંપતીએ રૂપિયા 92.96 લાખનો ચુનો લગાવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડીની ફરિયાદ નોંધીને દલાલ સહિત 2 આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે બે આરોપીની ધરપકડ કરી

હાલમાં આરોપી લલિત જૈન અને રાજુ રાજપૂત પોલીસ કસ્ટડીમાં છે. આરોપીઓએ મકાન અને દુકાનના વેચાણના નામે 92.96 લાખની છેતરપિંડી આચરી છે. જો સમગ્ર બનાવની વાત કરીએ તો મણિનગરમાં રહેતા હિતેષભાઈ પટેલને મકાન ખરીદવું હતું એટલે દલાલ રાજુ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. રાજુ રાજપૂતે ગાંધી દંપતી લલિતભાઈ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરાવી હતી. આ દંપતીએ કાંકરિયા ખાતે આવેલું મકાન 35 લાખ અને દુકાન 17.50 લાખમાં વેચાણ કરીને સમજૂતી નોટરાઈઝ તથા પ્રોમેસરી નોટ અને વાઉચરમાં સહીઓ કરાવીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ દંપતીએ ધંધા અર્થે 38.70 લાખ રૂપિયા તેમજ દલાલ રાજુએ દલાલીના 1.76 લાખ મેળવીને મકાન કે દુકાનનો દસ્તાવેજ નહીં કરીને 92.96 લાખની છેતરપિંડી આચરી હતી. આ ઠગાઈ કેસને લઈને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદીએ તપાસ કરી તો મકાન આરોપીનું નહીં હોવાનું ખુલ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગાંધી દંપતીના અમદાવાદમાં 3 મકાન અને રાજસ્થાનમાં એક મકાન હોવાનું કહીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈને પોતાના ભાઈની માલિકીનું મકાન કાચા બાનાખાત કરીને મકાન અને દુકાનનું વેચાણ કર્યું. પરંતુ દસ્તાવેજ નહીં કરી આપતા હોવાથી ફરિયાદીએ તપાસ કરી તો મકાન આરોપીનું નહીં હોવાનું ખુલ્યું હતું અને પોતે નરોડામાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. આરોપી અગાઉ ફાયનાન્સનો બિઝનેસ કરતો હતો. પરંતુ કોરોનામાં નુકસાન જતા આરોપીએ ફરિયાદી પાસેથી 2020 અને 2021માં 38.70 લાખ લીધા હતા. પરંતુ હજુ સુધી નાણાં પરત નહતા કર્યા અને મકાન અને દુકાનનો દસ્તાવેજ પણ નહીં કરતા EOWએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

EOWની એક ટીમ આરોપીની ધરપકડ કરવા રાજસ્થાન જવા રવાના થશે

મકાન અને દુકાનના વેચાણની ઠગાઈ કેસમાં પ્રિયંકા ગાંધી હજુ ફરાર છે. આરોપીના વૃદ્ધ માતા પિતા અને 4 વર્ષના બાળક પણ ઘરે મળી આવ્યું નથી. જેથી EOWની એક ટીમ રાજસ્થાન તપાસ અર્થે અને આરોપીની ધરપકડ કરવા રવાના થશે. આ ઠગ દંપતીએ અગાઉ પણ કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0