Ahmedabad: ચાંદીપુરા વાયરસથી મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત

અસારવા સિવિલ હોસ્પિટલમાં 1બાળકનું ચાંદીપુરા વાયરસથીમોત6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા હાલમાં 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં આ વાયરસથી 1બાળકનું મોત થયુ છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે. હાલમાં 6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે, હજી પણ 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ છે. દહેગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના કેસ અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લાના બાળકોમાં વધારે જોવા મળ્યા છે. જેને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. આજે સવારે જ ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. અત્યાર સુધી છ બાળકોના થયા મોત ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે અત્યાર સુધી છ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. સમગ્ર ઘટના બનતાની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે. કેવા હોય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો? ચાંદીપુરા વાયરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠાં પડી જાય છે. માથું દુ:ખે છે અને આંખો લાલ થઈ જાય છે, શરીરમાં અશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે. ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે. વાયરસથી બચવા માટે રાખો આ ધ્યાન 14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. તેના દ્વારા વધુ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને બાળકો ઝડપી આ વાયરસની ઝપેટમાં આવે છે.

Ahmedabad: ચાંદીપુરા વાયરસથી મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અસારવા સિવિલ હોસ્પિટલમાં 1બાળકનું ચાંદીપુરા વાયરસથીમોત
  • 6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા
  • હાલમાં 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં આ વાયરસથી 1બાળકનું મોત થયુ છે. મહેસાણાના 1 વર્ષના બાળકનું અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરસના કારણે મોત થયું છે. હાલમાં 6 બાળકોના શંકાસ્પદ સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે, હજી પણ 5 બાળકો અસારવા સિવિલમાં સારવાર હેઠળ છે.

દહેગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા

ચાંદીપુરા વાયરસના કેસ અરવલ્લી અને સાંબરકાંઠા જિલ્લાના બાળકોમાં વધારે જોવા મળ્યા છે. જેને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. આજે સવારે જ ગાંધીનગર જિલ્લાના દહેગામના અમરાજી મુવાડા ગામના 7 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને તેનો ટેસ્ટ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.

અત્યાર સુધી છ બાળકોના થયા મોત

ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે અત્યાર સુધી છ બાળકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. સમગ્ર ઘટના બનતાની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે.

કેવા હોય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો?

ચાંદીપુરા વાયરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠાં પડી જાય છે. માથું દુ:ખે છે અને આંખો લાલ થઈ જાય છે, શરીરમાં અશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે. ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.

વાયરસથી બચવા માટે રાખો આ ધ્યાન

14 વર્ષ પહેલા પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે 17 લોકોના જીવ લીધા હતા. ગામડામાં લીંપણની તિરાડમાં આ માખી રહેતી હોય છે, તેથી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જ્યાં આ માખીનો ઉપદ્રવ છે તેવા જિલ્લાઓમાં રહેતા લોકોએ તેમના ઘરના લીંપણને ઉખાડીને બદલી દેવું જોઈએ અથવા તો આ માખીનો નાશ કરવો જોઈએ. તેના દ્વારા વધુ પ્રમાણમાં આ વાયરસ ફેલાય છે અને બાળકો ઝડપી આ વાયરસની ઝપેટમાં આવે છે.