Ahmedabad: અમદાવાદના પાંચ સ્મશાનગૃહનું 29.83 કરોડો ના ખર્ચે નવીનીકરણ
શહેરમાં છેલ્લા લાંબા સમયથી 24 સ્મશાનગૃહમાંથી કેટલાકની હાલત બદતર છે. સ્મશાનગૃહમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને કેટલાકમાં મેઇન્ટેનન્સના લીધે ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં મ્યુનિ. કોર્પોરેશન આંખ આડા કાન કરતું હતું. આ વર્ષ ચુંટણીનું હોવાથી મ્યુનિ.સત્તાધીશોએ સ્મશાનગૃહોના નવીનકરણનું કામ હાથમાં લીધું છે.જેમાં વી.એસ.હોસ્પિટલ, જમાલપુર, સાબરમતી, ખોખરા, નરોડા મળી કુલપાંચ સ્મશાનગૃહનું 29.83 કરોનડા ખર્ચે નવીનકરણ કરાશે. મંગાવેલા ટેન્ડરમાંથી એક જ કોન્ટ્રાક્ટર ક્વોલીફાય થયો છે. મ્યુનિ. તંત્ર દ્વારા જમાલપુરના સપ્તરૂષિ, વા.સા.હોસ્પિટલ, સાબરમતી અચેર, ખોખરા ખાતેના હાટકેશ્વર અને નરોડ સ્મશાનગૃહને આદર્શ મોડલ સ્મશાનગૃહ તરીકે નવીનીકરણ કરવા માટે સૂચિત કામગીરી સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી. અંદાજે 19.83 કરોડથી વધુ રકમનું કામ છે. આમાં મ્યુનિ.કમિશનરે સાબરમતી અચેર અને હાટકેશ્વર સ્મશાનગૃહ અંગે સંયુકત ટેન્ડર ઇન્વાઇટ કરવાની મંજૂરી આપી હતી. આગામી રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ્ઝની કમિટીમાં આ કામનું ટેન્ડર મંજૂર કરાયા બાદ ઝોન પ્રમાણે સ્મશાનગૃહની કામગીરીના અમલીકરણ અને અંદાજ, કામનું એગ્રીમેન્ટ સહિત કોન્ટ્રાક્ટરને ચૂકવણી સહિતની કામગીરી ઝોનલ કચેરીએથી કરાશે.
![Ahmedabad: અમદાવાદના પાંચ સ્મશાનગૃહનું 29.83 કરોડો ના ખર્ચે નવીનીકરણ](https://epapercdn.sandesh.com/images/2025/01/12/uIOv58PFRaKP2oFmwybm8IFFsX4cm3her6nCOJnC.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં છેલ્લા લાંબા સમયથી 24 સ્મશાનગૃહમાંથી કેટલાકની હાલત બદતર છે. સ્મશાનગૃહમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને કેટલાકમાં મેઇન્ટેનન્સના લીધે ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં મ્યુનિ. કોર્પોરેશન આંખ આડા કાન કરતું હતું. આ વર્ષ ચુંટણીનું હોવાથી મ્યુનિ.સત્તાધીશોએ સ્મશાનગૃહોના નવીનકરણનું કામ હાથમાં લીધું છે.
જેમાં વી.એસ.હોસ્પિટલ, જમાલપુર, સાબરમતી, ખોખરા, નરોડા મળી કુલપાંચ સ્મશાનગૃહનું 29.83 કરોનડા ખર્ચે નવીનકરણ કરાશે. મંગાવેલા ટેન્ડરમાંથી એક જ કોન્ટ્રાક્ટર ક્વોલીફાય થયો છે. મ્યુનિ. તંત્ર દ્વારા જમાલપુરના સપ્તરૂષિ, વા.સા.હોસ્પિટલ, સાબરમતી અચેર, ખોખરા ખાતેના હાટકેશ્વર અને નરોડ સ્મશાનગૃહને આદર્શ મોડલ સ્મશાનગૃહ તરીકે નવીનીકરણ કરવા માટે સૂચિત કામગીરી સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી. અંદાજે 19.83 કરોડથી વધુ રકમનું કામ છે. આમાં મ્યુનિ.કમિશનરે સાબરમતી અચેર અને હાટકેશ્વર સ્મશાનગૃહ અંગે સંયુકત ટેન્ડર ઇન્વાઇટ કરવાની મંજૂરી આપી હતી. આગામી રોડ્ઝ એન્ડ બિલ્ડિંગ્ઝની કમિટીમાં આ કામનું ટેન્ડર મંજૂર કરાયા બાદ ઝોન પ્રમાણે સ્મશાનગૃહની કામગીરીના અમલીકરણ અને અંદાજ, કામનું એગ્રીમેન્ટ સહિત કોન્ટ્રાક્ટરને ચૂકવણી સહિતની કામગીરી ઝોનલ કચેરીએથી કરાશે.