Ahmedabad Rathyatra 2024 : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનુ કર્યુ નિરિક્ષણ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના કલાકો બાકી રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂટનું નિરિક્ષણ કરાયું ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ બંદોબસ્તને લઈ કરી સમીક્ષા અમદાવાદમાં વિશ્વની બીજા નંબરની રથયાત્રા નિકળે છે,આ રથયાત્રામાં અમદાવાદ સહિત ગુજરાતભરના ભકતો ઉમટે છે.ત્યારે શહેરની રથયાત્રામાં અમદાવાદ સહિત બહારની પોલીસને પણ બંદોબસ્ત માટે રાખવામાં આવે છે,રથયાત્રામાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ શહેરની પોલીસ એલર્ટ મોર્ડ પર છે. ગૃહરાજયમંત્રીએ રથયાત્રા રૂટની કરી સમીક્ષા ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે.આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બીજા નંબરની અમદાવાદની રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

Ahmedabad Rathyatra 2024 : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનુ કર્યુ નિરિક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના કલાકો બાકી
  • રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂટનું નિરિક્ષણ કરાયું
  • ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ બંદોબસ્તને લઈ કરી સમીક્ષા

અમદાવાદમાં વિશ્વની બીજા નંબરની રથયાત્રા નિકળે છે,આ રથયાત્રામાં અમદાવાદ સહિત ગુજરાતભરના ભકતો ઉમટે છે.ત્યારે શહેરની રથયાત્રામાં અમદાવાદ સહિત બહારની પોલીસને પણ બંદોબસ્ત માટે રાખવામાં આવે છે,રથયાત્રામાં કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ શહેરની પોલીસ એલર્ટ મોર્ડ પર છે.

ગૃહરાજયમંત્રીએ રથયાત્રા રૂટની કરી સમીક્ષા

ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટની સમીક્ષા કરી છે.આ રૂટ સમીક્ષામાં DGP,શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતો,રથયાત્રા રૂટ અને પોલીસ બંદોબસ્તને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટ પર સમીક્ષા કરે તે પહેલા જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી.

સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા

માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બીજા નંબરની અમદાવાદની રથયાત્રા

ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં આસપાસના શહેરો અને ગામડાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તો જોડાય છે. ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

રથયાત્રા પૂર્ણ ના થાય ત્યા સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.