Ahmedabad Rathyatra: રથયાત્રાની ભવ્ય ઉજવણીનો આરંભ, ભગવાનના દર્શન કરવા જાણો શોભાયાત્રાનો Route

Jun 27, 2025 - 09:30
Ahmedabad Rathyatra: રથયાત્રાની ભવ્ય ઉજવણીનો આરંભ, ભગવાનના દર્શન કરવા જાણો શોભાયાત્રાનો Route

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આજે સૌ પ્રથમ વખત રથયાત્રામાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું. મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી ભગવાનના રથની સફાઇ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથના દર્શન કરી વિકસિત ભારત જગન્નાથ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી. 

રથયાત્રામાં ભગવાન જગન્નાથ દર્શન કરવા જતા પહેલા શહેરીજનો આ માહિતી ખાસ ધ્યાનમાં રાખે. જો તમે ભગવાનના ભગવાન જગન્નાથ દર્શન કરવા જતા હોવા તો આ રૂટ પર તમે જઈ શકશો. 

રથયાત્રાની શોભાયાત્રાનો રુટ

આજે સવારે 7-30 વાગ્યે જમાલપુર મંદિર ખાતેથી રથયાત્રાનું વાજતે-ગાજતે પ્રસ્થાન કરાયું. જગન્નાથ મંદિર બાદ 9 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ રથ પહોંચ્યા હતા અને તેના બાદ 9-45 ના સમય પર રાયપુર ચકલા પછી 10-30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા અને પછી 11-15ના સમયે કાલુપુર સર્કલ થઈ 12-વાગ્યાની આસપાસ રથયાત્રાની શોભાયાત્રા સરસપુર મામાના ઘરે મુકામ કરશે. સરસપુરમાં મામાના ઘરે મોસાળુ કરાશે. સરસપુરના રણછોડરાય મંદિરમાં ત્રિવેદી પરિવાર દ્વારા મામેરુ ભરવામાં આવશે. અંહી રથયાત્રામાં સામેલ તમામ ભક્તો અને સંતો મંહતોને વિશેષ પ્રસાદ અપાશે.

મામેરું ભરાયા બાદ સરસપુરથી પ્રસ્થાન

મામેરું ભરાયા બાદ બપોરે 1-30 વાગ્યાની આસપાસ સરસપુરથી પ્રસ્થાન કરતા તેના નિયત રૂટ પર રથયાત્રા બપોરે 2 વાગ્યાની આસપાસ કાલુપુર સકર્લ પર પહોંચશે. બપોરે 2-30 રથયાત્રા પ્રેમદરવાજા થઈ દિલ્હીચકલા પછી શાહપુર દરવાજા અને શાહપુર હાઈસ્કુલ થઈ સાંજે 5 વાગ્યાની આસપાસ ઘી કાંટા પહોંચશે. અને ત્યાંથી પાનકોર નાકા અને માણેકચોક થઈ રથયાત્રા રાત્રે 8-30 વાગ્યાની આસપાસ નિજ મંદિર પર પરત ફરશે.

મુખ્યમંત્રીએ રથયાત્રાના આયોજનની કરી પ્રશંસા

મુખ્યમંત્રીએ રથયાત્રાના આયોજનને લઈને મંદિર ટ્રસ્ટ અને ફરજ પર તૈનાત પોલીસની કામગીરી પ્રશંસા કરી. ભગવાનના દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવી સાથે એ પણ સૂચન કર્યું કે ભક્તજનોને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે રથયાત્રાની શોભાયાત્રા નગરમાં નીકળે ત્યારે વિશેષ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કચ્છી નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી. ભગવાન જગન્નાથ દર્શન કરી મુખ્યમંત્રીએ ભગવાનને સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0