Ahmedabad Plane crash: વિશ્વાસ નથી થતો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી

Jun 14, 2025 - 00:30
Ahmedabad Plane crash: વિશ્વાસ નથી થતો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં એરપોર્ટથી લંડન જઈ રહેલુ એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ ક્રેશ થયું હતું. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતાં. તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

અમિત શાહે વિજય રૂપાણીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિમાન દુર્ઘટનામા નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, વિજયભાઈએ સંગઠનમાં લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે. તેમણે દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. તેઓ સ્વભાવે શાંત અને વિચારશીલ વ્યક્તિ હતાં. અમિત શાહે વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે વાત કરી હતી. તેમણે સાંત્વના પણ પાઠવી હતી. અમિત શાહે કહ્યું હતું કે, સમગ્ર ભાજપ પરિવાર તેમની સાથે છે.


વિજયભાઈએ દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી

કેન્દ્રીય ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી સાથે સંગઠનમાં લાંબા સમય સુધી કામ કર્યું.પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને મજબુત બનાવવું હોય કે પછી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિકાસયાત્રાને ગતિશીલ રાખવામાં વિજયભાઈએ દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી.વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી.સ્વભાવે શાંત અને વિચારશીલ રૂપાણીજીની સંગઠન પ્રત્યેની વફાદારી અને અનુશાસનપૂર્ણ અભિગમ અદ્ભુત હતો.

થોડા દિવસો પહેલા જ તેમની સાથે મુલાકાત થઈ હતી

તેમણે લખ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ તેમની સાથે મુલાકાત થઈ હતી અને પંજાબમાં સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ. તેમનાં ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણીજી સાથે વાત કરીને ઊંડી સંવેદના વ્યક્ત કરી. દુખની આ ઘડીમાં સમગ્ર ભાજપા પરિવાર તેમની સાથે છે. ભગવાન તેમના ચરણોમાં દિવંગત આત્માને સ્થાન આપે.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0