Ahmedabad Plan Crash: વિમાન દુર્ઘટનામાં મહેસાણાના સંકેત ગોસ્વામીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહેસાણાના સંકેત ગોસ્વામીનું મોત નિપજ્યું છે. ખેરવાના 19 વર્ષિય સંકેતના મોતથી પરિવાર ગમગીન થયો છે. મૃતક સંકેતે ઓટોમોબાઈલમાં ડિપ્લોમા કર્યું હતું. તે ઓટોમોબાઈલમાં ડિગ્રી લેવા માટે લંડન જઈ રહ્યો હતો. સંકેત પરિવારમાં એકનો એક દીકરો હતો. તેના મોતના કારણે પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું.
એકના એક દીકરાનું મોત
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહેસાણાના ખેરવાના સંકેત ગોસ્વામીનું પણ મોત થયું છે. માત્ર 19 વર્ષના સંકેત ગોસ્વામીના મોતથી પરિવાર શોકમગ્ન થયો છે.સંકેત ગોસ્વામીએ ખેરવા ખાતેની ગણપત યુનિવર્સિટીમાં ઓટોમોબાઇલમાં ડિપ્લોમાં કર્યું હતું. તે લંડનમાં ઓટોમોબાઇલમાં ડિગ્રી લેવા માટે નીકળ્યો હતો. સંકેત ગોસ્વામીના પરિવારમાં એકનો એક દીકરો હતો. એક બહેનનો એકનો એક ભાઈ સંકેત ગોસ્વામીનું ઘટનામાં અવસાન થયું છે. એકના એક દીકરાને લંડન મોકલવાના સપના ચકનાચૂર થયા છે.
What's Your Reaction?






