Ahmedabad News: પોલીસે ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતાં અગ્નિસંસ્કાર કરી નાંખ્યા, પરિવારને જાણ પણ ના કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. પરંતુ કેટલાક એવા બનાવો છે જે હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય છે. અમદાવાદમાં 23મી જૂનથી ગુમ થયેલા યુવકનું મોત નિપજ્યું છે. આ યુવકના પરિવારે યુવક ગુમ થયો હોવાની ફરિયાદ કરતાં વેજલપુર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી. પોલીસની તપાસ દરમિયાન પણ યુવકનો પત્તો નહીં લાગતાં પરિવારે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરી હતી. હેબિયર્સ કોપર્સ બાદ પોલીસે પરિવારને બોલાવ્યો હતો.
એક યુવક 23મી જૂનના રોજ ગુમ થયો હતો
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક યુવક 23મી જૂનના રોજ ગુમ થયો હતો. આ યુવક ગુમ થયો છે તેની ફરિયાદ તેના પરિવારજનોએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ યુવકનો પત્તો નહીં લાગતાં તેનો પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. આ હેબિયર્સ કોપર્સની અરજી દાખલ થયા બાદ પોલીસે પરિવારને બોલાવી જે માહિતી આપી તે ચોંકાવનારી હતી.
યુવકનો મૃતદેહ તેલાવ પાસે મળ્યો હોવાની જાણકારી આપી
પોલીસે પરિવારજનોને ગુમ યુવકના મોત અંગે જાણ કરી હતી. આ યુવકનો મૃતદેહ તેલાવ પાસે મળ્યો હોવાની જાણકારી આપી હતી. પોલીસે 24 જૂને મળેલા મૃતદેહનો 7 દિવસ સુધી વાલી વારસ ન મળતા ચિરાગ નામના યુવકના મૃતદેહનું પીએમ કરાવી અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતાં. પરિવારને જાણ કર્યા વિના જ ગુમ યુવક ચિરાગ ના અંતિમ સંસ્કાર કરાતા પરિવારજનોએ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. આ યુવકની લાશ તેની રિક્ષા પાસે જ પડી હતી. રિક્ષાના નંબરના આધારે પણ પરિવારને જાણ કરી નહોતી. કોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી કર્યા બાદ કેમ પરિવારને જાણ કરી તેવા અનેક સવાલો ઉભા થયાં છે. આ સમગ્ર મામલે મંગળવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
What's Your Reaction?






