Ahmedabad News: જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ ગજરાજ અંગે શું આપી પ્રતિક્રિયા?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
27 જૂન 2025ના રોજ રથયાત્રા યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન ગજરાજ વિફર્યા હતા. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. ગજરાજ વિફર્યા હતા. તે અંગે જ્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. ગજરાજને વનતારા મોકલવા મુદ્દે મહંતની પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, અમારો કોઈ ગજરાજ વનતારા નથી મોકલ્યો. વનતારાની ટીમ આવી હતી તપાસ કરીને ગઈ છે.
‘ગજરાજ હાલ અમારી પાસે છે અને શાંત છે’
ગજરાજને વનતારા મોકલવા મુદ્દે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, અમારો કોઈ ગજરાજ વનતારા નથી મોકલવામાં આવ્યો. અહીં વનતારાની ટીમ આવી હતી અને તપાસ કરીને જતી રહી છે. ટીમ ગજરાજને એક સ્થળેથી બીજા સ્થળે લઈ ગયા છે. ગજરાજ હાલ અમારી પાસે છે અને શાંત છે. ગજરાજને માર મારવા મામલે મહંતે જણાવ્યુ હતુ કે, ગજરાજને મારવાનો કોઇ ઉદ્દેશ્ય ન હતો. ગજરાજનું સ્થાન બદલાયુ હતુ જેના કારણે તે અવાજ કરી રહ્યો હતો.
આ કોઈ મારવાનો ઉદ્દેશ નથીઃ મહંત
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, મહાવતે ડરીને તેને શાંત કરવા દંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગજરાજને શાંત કરવા વિવિધ ટેકનિક હોય છે. મહાવત જાણે છે કે ગજરાજને કેવી રીતે ટ્રેઇન કરી શકાય. આ કોઈ મારવાનો ઉદ્દેશ નથી. તેમ મહંતએ કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ગજરાજોને રાખવા સરળ નથી. ગજરાજને અમે વર્ષોથી પ્રેમથી રાખીયે છીએ. વધુમાં મહંત દિલીપદાસજીએ જણાવ્યુ હતુ કે, રથયાત્રામાં ભડક્યા તે આ હાથી નથી.
What's Your Reaction?






