Ahmedabad News : સિનિયર સિટીઝનોની હાલાકીનો અંત, BRTS, AMTS ના વધુ 6 ફ્રી પાસ કેન્દ્રો શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સિનિયર સિટીઝનનોને ફ્રી BRTS અને AMTS પાસ કઢાવવામાં પડતી હાલાકી અંગે સંદેશ ન્યૂઝ દ્વારા કરાયેલા અહેવાલની સકારાત્મક અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝે સિનિયર સિટીઝનોની મુશ્કેલીઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યા બાદ, BRTS અને AMTS તંત્ર દ્વારા સિનિયર સિટીઝન માટે ફ્રી પાસ કાઢવાની સુવિધામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
6 નવા પાસ કેન્દ્રો શરૂ
તમને જણાવી દઈ કે, આગાઉ સિનિયર સિટીઝન માટે ફ્રી પાસ કઢાવવા માટે માત્ર બે જ કેન્દ્રો કાર્યરત હતા, જેના કારણે વૃદ્ધ નાગરિકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું અને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલમાં આ સમસ્યાને પ્રકાશિત કરવામાં આવી હતી, જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. હવે, BRTS અને AMTS દ્વારા સિનિયર સિટીઝન માટે વધુ 6 નવા પાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ નવા કેન્દ્રો BRTS અને AMTS ના મુખ્ય ટર્મિનસ પર કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી સિનિયર સિટીઝનોને તેમના નિવાસસ્થાન નજીકથી જ પાસ કઢાવવાની સુવિધા મળી રહેશે.
નવા કાર્યરત થયેલા કેન્દ્રો
મણિનગર, નરોડા, વાડજ, સારથી, વાસણા, ભક્તિનગર આ નવા કેન્દ્રો શરૂ થવાથી સિનિયર સિટીઝનોને ફ્રી પાસ કઢાવવામાં પડતી અસુવિધામાં ઘટાડો થશે અને તેઓ સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકશે.
What's Your Reaction?






