Ahmedabad: 9મી જૂને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્માર્ટ સિટી તરીકે જાણિતા અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી છે. શહેરના રખિયાલ વોર્ડમાં ત્રણ મહિનાથી લોકો પાણી વિના ટળવળી રહ્યાં છે. પીવાના પાણીને લઈને AMCમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા પીવાના પાણીની રજૂઆતો છતાં સમસ્યા યથાવત્ત રહેતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે.બીજી તરફ આગામી 9મી જૂને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.
પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી 9 જૂને શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જાસપુર વોટર વર્કસ ખાતે ટેકનિકલ કારણોસર પાણીનો જથ્થો નાગરિકોને આપવામાં આવશે નહીં. ટેકનિકલ કારણોસર કારણે સવારે આઠ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી પાણીની પ્રક્રિયામાં અવરોધ ઉભો થશે અને તેના કારણે કામગીરી શટટાઉન થશે. આ દરમિયાન પાણીનો જેટલો જથ્થો હાજર સ્ટોકમાં હશે તેટલો જ જથ્થો લોકોને આપવામાં આવશે.
પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની કટોકટી સર્જાઈ છે
શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી પાણીની કટોકટી સર્જાઈ છે. મહાનગર પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ AMCમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવાયું તો દરરોજ અધિકારીઓ આવતી કાલે પાણી આવી જશે તેવું આશ્વાસન આપે છે. તો પીવાના પાણીનું ટેન્કર પણ ક્યારે આવશે તેનો કોઈ જ સમય નક્કી નથી.
What's Your Reaction?






