Ahmedabad પોલીસે હેલ્મેટ ના પહેરી તો આવી બન્યું, પોલીસ કમિશનર આકરા પાણીએ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેલમેટ મુદ્દે આક્રમક બન્યા છે અને આ આકરા બન્યા તો કોની સામે એ પણ અમદાવાદ પોલીસ સામે,હા હવે અમદાવાદ શહેર પોલીસનો સ્ટાફ હેલમેટ નહી પહેરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.કર્મચારીઓને હેલમેટ પહેરવા માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલમેટ પહેરવું જરૂરી બન્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલમેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે. હેલમેટ વગર કોઈપણ કર્મી કચેરીમાં ના પ્રવેશે: CP પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલમેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે.ત્યારે પોલીસ અધિકારીની આ વાત કર્મચારીઓ માનશે કે પછી ઘોળીને પી જશે એ સવાલ છે,આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલમેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે. આખો પરિવાર વિખેરાઈ જાય છે અકસ્માત મોતમાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતમાં માણસના મૃત્યુ પણ નિપજે છે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭, ૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં ફુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે, જે પૈકી 1040 એટલે મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે, જેનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે. હેલમેટ તો પહેરવું જ પડશે મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે. 

Ahmedabad પોલીસે હેલ્મેટ ના પહેરી તો આવી બન્યું, પોલીસ કમિશનર આકરા પાણીએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર પોલીસ કમિશનર હેલમેટ મુદ્દે આક્રમક બન્યા છે અને આ આકરા બન્યા તો કોની સામે એ પણ અમદાવાદ પોલીસ સામે,હા હવે અમદાવાદ શહેર પોલીસનો સ્ટાફ હેલમેટ નહી પહેરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.કર્મચારીઓને હેલમેટ પહેરવા માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલમેટ પહેરવું જરૂરી બન્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલમેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે.


હેલમેટ વગર કોઈપણ કર્મી કચેરીમાં ના પ્રવેશે: CP

પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલમેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે.ત્યારે પોલીસ અધિકારીની આ વાત કર્મચારીઓ માનશે કે પછી ઘોળીને પી જશે એ સવાલ છે,આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલમેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે.

આખો પરિવાર વિખેરાઈ જાય છે અકસ્માત મોતમાં

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતમાં માણસના મૃત્યુ પણ નિપજે છે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭, ૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં ફુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે, જે પૈકી 1040 એટલે મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે, જેનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે.

હેલમેટ તો પહેરવું જ પડશે

મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે.