Ahmedabad: નરોડા જશોદાનગરમાં રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચોમસાની શરૂઆતને લઈને વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે 31 મે સુધીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ જે હજી સુધી થઈ નથી.
જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે જશોદાનગરથી સીટીએમ સુધીના રસ્તા પર ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને તે મંથર ગતિએ ચાલતી હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ તરફ નરોડા સ્મશાન તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણાં મહિનાથી બંધ છે તેની કામગીરી પણ લાંબા સમયથીચાલી રહી છે અને હજી સુધી પૂર્ણ થઈ નથી આ કારણે લોકોને રસ્તા પાછળથી ફરીને જવું પડી રહ્યું છે.
જશોદાનગર વિસ્તારના લોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, છેલ્લા ઘણાં દિવસોથી કામગીરી ચાલી રહી છે. જેમાં હવે ગટરના પાણી પીવાના પાણીની પાઈપલાઈનમાં મિક્સ થઈ રહ્યા છે અને લોકોના ઘરોમાં ગટરનું પાણી આવી રહ્યુ છે. પીવાના પાણીમાં ગટરના પાણી મિશ્રિત થઈ રહ્યા છે. જેથી લોકોમાં બીમારીની ભીતિ છે. રોગચાળો વધી રહ્યો છે. એટલુ જ નહીં રસ્તા વચ્ચે લોખંડ સળિયા નીકળી જતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. આ તમામ અગવડો અને મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે. ત્યારે લોકોની માગછે કે સત્વરે તંત્ર દ્વારા ગટરની કામગીરી પૂર્ણ કરવામા આવે અને રસ્તો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી જ રજૂઆત છે. આ સાથે જ સ્થાનિકોની એવી પણ ફરીયાદ છે કે હાલ ચોમાસુ માથે આવી ગયું છતા કામગીરી પૂર્ણ કરાઈ નથી ત્યારે જો એકાદો પણ વરસાદ થશે તો પાણી ભરાવાને કારણે આ રસ્તા પરથી પસાર થવાનું જ અશક્ય થઈ જશે. હવે તંત્ર દ્વારા આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તે સવાલ ઉઠી રહ્યા છે.
આ તરફ નરોડમાં કેનાલ ઉપરથી રોડ બનાવવાની કામગીરી એક તરફ ચાલી રહી છે બીજી તરફ સ્મશાન પાસેના રોડ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં અનેક રોડની સમસ્યાથી પરેશાન થયા છતાં મ્યુનિ. તંત્ર દ્વારા કામગીરી કરવામાં બેદરકારી દાખવાત લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ચોમાસાં પહેલા રોડની કામગીરી પૂર્ણ કરવા લોક માંગ ઉઠી છે.
રોડ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધી : સ્થાનિકો
છેલ્લા ઘણાં સમયથી રોડ બંધ કરવામાં આવ્યો છે. જેમા કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ તરફ રોડ બંધ રહેવાના કારણે ટ્રાફિકમાં પણ ભારે અડચણ થઈ રહી છે. તેમજ દહેગામ તરફથી આવતાં લોકોને નરોડા તરફ પહોંચવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત સમ્શાન માટે નરોડા ઉપરાંત દહેગામથી લોકો આવતાં હોય છે તેમના માટે પણ યોગ્ય રોડ ન હોવાથી અગવડ ઉભી થઈ રહી છે. આ માટે વારંવાર રજુઆત કરવા છતાં પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.
What's Your Reaction?






