Ahmedabad: ગોમતીપુર - રખિયાલના વિવિધ વિસ્તારમાં ગટરના પાણી ભરાયા

Jun 6, 2025 - 02:00
Ahmedabad: ગોમતીપુર - રખિયાલના વિવિધ વિસ્તારમાં ગટરના પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સારંગપુર પંમ્પિગ સ્ટેશનમાં ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રાઈઝિંગ લાઈન નાખવાની કામગીરી ચાલું હોવાના સતત પાંચ દિવસ થયા પણ તેના રિપેરિંગ ન પૂર્ણ થતાં ગોમતીપુર અને રખિયાલના વિવિધ વિસ્તારમાં ગંદુ પાણી બહાર વહી રહ્યું છે.

જેના કારણે લોકોએ ગંદકીમાંથી પસાર થવાની સ્થિતિ ઉભી થઈ છે. આ અંગે ગોમતીપુરના સ્થાનિક કોર્પોરેટરે રજૂઆત કરી હોવા છતા પણ અધિકારીઓ ન સાંભળતા હોવાની ફરિયાદ સામે આવી છે. બીજી તરફ ચોમાસા પહેલાં રાઈઝિંગ લાઈનમાં ખામી સર્જાતા વરસાદી પાણી ભરાઈ રહેશે તેવી ચિંતા સ્થાનિકોમાં વધી રહી છે. આ અંગે ગોમતીપુરના સ્થાનિક મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, રાઈઝિંગ લાઈનનું કામ ઘણાં દિવસોથી ચાલી રહ્યું છે આ દરમિયાન મેનહોલ જ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા પર ગંદુ પાણી વહી રહ્યું છે તેના સાથે જ પીવાનું પાણી પણ ગટરમાં જ વહી રહ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0