Ahmedabadમાં CGST વિભાગના અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સીજીએસટી અધિકારી ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે,ફરિયાદી તેમની માતાના નામે હાઉસ કિપીંગ એજન્સી ચલાવતા હતા જેમાં વર્ષ 2014થી લઈ વર્ષ 2017 સુધીનો સર્વિસ ટેકસ ભરતા ન હતા જેથી સીજીએસટી વિભાગ દ્રારા માતાનું એકાઉન્ટ ફ્રીઝ કર્યુ હતુ જેમાં એન્કલોઝમેન્ટ નંબર આપવા માંગ્યા હતા રૂપિયા હતા 10 હજાર. ફરિયાદીએ એસીબીનો કર્યો સંપર્ક ફરિયાદી તેઓની માતાના નામે હાઉસ કિંપીગ એજન્સી ચલાવતા હતા જેનો સને.૨૦૧૪ થી ૨૦૧૭ નો સર્વિસ ટેક્સ ન ભરતા C.G.S.T. વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરી ફરીયાદીના માતાનું બેક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધેલ, જેથી ફરીયાદી અપીલ માં ગયેલ. જેમા એન્કલોઝમેન્ટ નંબર મળેથી બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ અંગેની કાર્યવાહી થાય તેમ હોઈ જેથી ફરીયાદી એન્કલોઝમેન્ટ નંબર મેળવવા આક્ષેપિત ને મળતા આક્ષેપિતે એન્કલોઝમેન્ટ નંબર આપવા ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ અમદાવાદ શહેર એ.સી.બી પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયા હતા. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Ahmedabadમાં CGST વિભાગના અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સીજીએસટી અધિકારી ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે,ફરિયાદી તેમની માતાના નામે હાઉસ કિપીંગ એજન્સી ચલાવતા હતા જેમાં વર્ષ 2014થી લઈ વર્ષ 2017 સુધીનો સર્વિસ ટેકસ ભરતા ન હતા જેથી સીજીએસટી વિભાગ દ્રારા માતાનું એકાઉન્ટ ફ્રીઝ કર્યુ હતુ જેમાં એન્કલોઝમેન્ટ નંબર આપવા માંગ્યા હતા રૂપિયા હતા 10 હજાર.

ફરિયાદીએ એસીબીનો કર્યો સંપર્ક

ફરિયાદી તેઓની માતાના નામે હાઉસ કિંપીગ એજન્સી ચલાવતા હતા જેનો સને.૨૦૧૪ થી ૨૦૧૭ નો સર્વિસ ટેક્સ ન ભરતા C.G.S.T. વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરી ફરીયાદીના માતાનું બેક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધેલ, જેથી ફરીયાદી અપીલ માં ગયેલ. જેમા એન્કલોઝમેન્ટ નંબર મળેથી બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ અંગેની કાર્યવાહી થાય તેમ હોઈ જેથી ફરીયાદી એન્કલોઝમેન્ટ નંબર મેળવવા આક્ષેપિત ને મળતા આક્ષેપિતે એન્કલોઝમેન્ટ નંબર આપવા ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ અમદાવાદ શહેર એ.સી.બી પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયા હતા.

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.