Ahmedabadના ઈસનપુરમાં એક જ રોડ પર પડયા બે ભૂવા, લોકોમાં ભારે રોષ

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક જ રોડ પર બે ભૂવા પડવાની ઘટના બની છે,રોડ વચ્ચે ભૂવો પડવાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.રોડ વચ્ચે પડેલા ભૂવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે તંત્રએ બેરીકેટ લગાવીને સંતોષ માન્યો છે. હજી કોઈ સમારકામ નથી કરાવ્યું આ બાબતની જાણ સ્થાનિકોએ એએમસી તેમજ ધારાસભ્યને પણ કરી છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી માત્ર ભૂવાને કોર્ડન કરાયો છે અને સંતોષ માન્યો છે,ત્યારે સ્થાનિકોની માગ છે કે અગામી સમયમાં ભૂવાને લઈ સમારકામ કરવામાં આવે,જો આ ભૂવાનું સમારકામ કરવામાં નહી આવે તો અન્ય જગ્યાએ પણ ભૂવો પડવાની શકયતા છે કેમકે રોડ પોલો થઈ ગયો છે. ત્રણ દિવસ પહેલા ઘાટલોડિયામાં ભૂવો પડયો અમદાવાદ શહેરમાં ફરી ભૂવો પડયો છે,ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્કમાં ફરી રોડ પર ભૂવો પડયો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે,સ્થાનિકોએ તંત્ર સામે રોશ ઠાલવ્યો છે.તંત્રએ હજી પણ રોડ પર કામગીરી શરૂ કરાવી નથી જેના કારણે ટ્રાફિક જામની સાથે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ પડી રહી છે,તંત્રએ હાલમાં બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે.ત્રણ દિવસથી ભૂવો પડયો છે તેમ છત્તા કોઈ કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે.

Ahmedabadના ઈસનપુરમાં એક જ રોડ પર પડયા બે ભૂવા, લોકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક જ રોડ પર બે ભૂવા પડવાની ઘટના બની છે,રોડ વચ્ચે ભૂવો પડવાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે સાથે સાથે સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે.રોડ વચ્ચે પડેલા ભૂવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે તંત્રએ બેરીકેટ લગાવીને સંતોષ માન્યો છે.

હજી કોઈ સમારકામ નથી કરાવ્યું

આ બાબતની જાણ સ્થાનિકોએ એએમસી તેમજ ધારાસભ્યને પણ કરી છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ કામગીરી કરતું નથી માત્ર ભૂવાને કોર્ડન કરાયો છે અને સંતોષ માન્યો છે,ત્યારે સ્થાનિકોની માગ છે કે અગામી સમયમાં ભૂવાને લઈ સમારકામ કરવામાં આવે,જો આ ભૂવાનું સમારકામ કરવામાં નહી આવે તો અન્ય જગ્યાએ પણ ભૂવો પડવાની શકયતા છે કેમકે રોડ પોલો થઈ ગયો છે.


ત્રણ દિવસ પહેલા ઘાટલોડિયામાં ભૂવો પડયો

અમદાવાદ શહેરમાં ફરી ભૂવો પડયો છે,ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્કમાં ફરી રોડ પર ભૂવો પડયો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે,સ્થાનિકોએ તંત્ર સામે રોશ ઠાલવ્યો છે.તંત્રએ હજી પણ રોડ પર કામગીરી શરૂ કરાવી નથી જેના કારણે ટ્રાફિક જામની સાથે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી પણ પડી રહી છે,તંત્રએ હાલમાં બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે.ત્રણ દિવસથી ભૂવો પડયો છે તેમ છત્તા કોઈ કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ચોમાસું ગયુ તેમ છત્તા ભૂવા પડે છે

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેમ છત્તા ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે.અમદાવાદ શહેરમાં અત્યારસુધી અનેક વિસ્તારોમાં ભૂવા પડયા છે જેના કારણે સ્થાનિકોમાં રોશ જોવા મળ્યો છે,અમદાવાદ શહેર વિકસિત શહેર છે પરંતુ રોડ બનાવવામાં કોન્ટ્રાકટરો બેદરકારી દાખવે છે જેના કારણે ભૂવા પડે છે,ડામર સરખો લગાવવામાં આવતો નથી અને કપચી પાથરી દેવામાં આવે છે એટલે કપચી ઉખડી જાય છે અને રોડ પર ભૂવો પડી જાય છે.