Ahemdabad: અમરાઈવાડીમાં 'તું કેમ સામે જુએ છે' કહીનેશખ્સે યુવક સાથે મારામારી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરાઇવાડીમાં બે ભાઇઓએ અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશી પિતા-પુત્રને લોખંડની પાઇપથી ફ્ટકાર્યા હતા. જેમાં યુવક મંદિર પાસે સંબંધી સાથે બેઠા હતા તે સમયે શખ્સ ત્યાંથી નીકળતા કેમ સામે જુએ છે કહીને ઝઘડો કર્યો હતો. આ અંગે યુવકે બંને શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
અમરાઇવાડીમાં રહેતા જ્યંતિભાઇ દંતાણી લસણ વેચવાનો ધંધો કરે છે. ગત 25મેએ સાંજના સમયે તેઓ સંબંધી શશીભાઇ નાઉ સાથે મહાલક્ષ્મી ફ્લેટ પાસે મંદિરના ઓટલા પર બેઠા હતા. ત્યારે ડાયાભાઇ દંતાણી ત્યાંથી જતો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને જ્યંતીભાઇને તું કેમ સામે જોવે છે કહીને બીભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. બાદમાં લોખંડની પાઇપથી ફ્ટકારવા લાગ્યો હતો. આ દરમ્યાન જ્યંતિભાઇનો પુત્ર આવી જતા તેને પણ માર માર્યો હતો. જ્યારે ડાયાભાઇનો ભાઇ અમરત આવી જતા બંનેભાઇઓએ ભેગા મળીને બાપ દિકરાને ફ્ટકાર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવીને છોડાવ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત જ્યંતિભાઇ અને તેના પુત્ર નિતેશને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે જ્યંતિભાઇએ ડાયા અને અમરત સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
What's Your Reaction?






