1251 કિલો પારામાંથી બનેલું દુર્લભ પારદેશ્વર મહાદેવનું મંદિર

દહેગામ પાસે વહેલાલ ગામમાં સ્થાપિત છે વિશિષ્ટ શિવલિંગઆ મંદિર વહેલાલ ગામની સીમમાં આવેલું છે. જેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી આ શિવલિંગ 3 ફૂટ ઊંચુ છે અને તેનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ રહેલું છે ભગવાન મહાદેવના શિવલિંગ પથ્થર સ્વરૂપે જોવા મળતા હોય છે. પણ કઠવાડાથી દહેગામ વચ્ચે આવેલું મહાદેવનું એક મંદિર ઘણું જ અદભૂત અને ખાસ છે. અહીં પારદેશ્વર મહાદેવનું શિવલિંગ 1251 કિલો પારામાંથી બનાવવામાં આવેલું છે. આ શિવલિંગ 3 ફૂટ ઊંચુ છે અને તેનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ રહેલું છે. જ્યાં પારાને બાંધવો પણ મુશ્કેલ હોય છે ત્યાં અહીં પારાનું શિવલિંગ બનાવી તેની આરાધના કરવામાં આવે છે. જેના કારણે તેનું અલૌકિક મહત્વ રહેલું છે. આ મંદિર વહેલાલ ગામની સીમમાં આવેલું છે. જેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંના સંસ્થાપક છે અને તેમના દ્વારા શિવપૂજા સહિત આયુર્વેદ સંસ્થા પણ ચાલવવામાં આવે છે. અહીં માત્ર શ્રાવણ મહિનામાં જ નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન શિવલિંગની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પારદ શિવલિંગ માટે એવી માન્યતા છે કે, પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણેય સ્થાનોમાં પારદ શિવલિંગ એવું છે, જેના દર્શન કરવાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે.

1251 કિલો પારામાંથી બનેલું દુર્લભ પારદેશ્વર મહાદેવનું મંદિર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દહેગામ પાસે વહેલાલ ગામમાં સ્થાપિત છે વિશિષ્ટ શિવલિંગ
  • આ મંદિર વહેલાલ ગામની સીમમાં આવેલું છે. જેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી
  • આ શિવલિંગ 3 ફૂટ ઊંચુ છે અને તેનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ રહેલું છે

ભગવાન મહાદેવના શિવલિંગ પથ્થર સ્વરૂપે જોવા મળતા હોય છે. પણ કઠવાડાથી દહેગામ વચ્ચે આવેલું મહાદેવનું એક મંદિર ઘણું જ અદભૂત અને ખાસ છે.

અહીં પારદેશ્વર મહાદેવનું શિવલિંગ 1251 કિલો પારામાંથી બનાવવામાં આવેલું છે. આ શિવલિંગ 3 ફૂટ ઊંચુ છે અને તેનું ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ રહેલું છે. જ્યાં પારાને બાંધવો પણ મુશ્કેલ હોય છે ત્યાં અહીં પારાનું શિવલિંગ બનાવી તેની આરાધના કરવામાં આવે છે. જેના કારણે તેનું અલૌકિક મહત્વ રહેલું છે.

આ મંદિર વહેલાલ ગામની સીમમાં આવેલું છે. જેની સ્થાપના 2001માં કરવામાં આવી હતી. શ્રી શ્રી માં અનંતાનંદજી અહીંના સંસ્થાપક છે અને તેમના દ્વારા શિવપૂજા સહિત આયુર્વેદ સંસ્થા પણ ચાલવવામાં આવે છે. અહીં માત્ર શ્રાવણ મહિનામાં જ નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન શિવલિંગની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. પારદ શિવલિંગ માટે એવી માન્યતા છે કે, પૃથ્વી, પાતાળ અને આકાશ ત્રણેય સ્થાનોમાં પારદ શિવલિંગ એવું છે, જેના દર્શન કરવાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે.