વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી!

Nov 3, 2025 - 01:00
વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે  પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

જ્વેલર્સને જીએસટીના કેસમાં ફસાવીને ૧૦ લાખનો તોડ કરવા સહિતના ચાર ગુનાના આરોપી અને પત્રકાર દિર્ઘાયુ વ્યાસના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદારો સાથેના સંબધને લઇને પણ મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેથી ક્રાઇમબ્રાંચ   દિર્ઘાયુ વ્યાસ અંગે અન્ય કડીઓ પણ તપાસી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે તેેણે એક અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે ભાગીદારીમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જમીન ખરીદી હતી. જ્યાં બંને જણા એક બિલ્ડરની મદદથી કોઇ સ્કીમ પણ તૈયાર કરવાના હતા. આ બાબતને ગંભીરતાથી લઇને ક્રાઇમબ્રાંચે પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલીેને પુછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત,  વેબ પોર્ટલની ઓફિસના હેડ સહિતના સ્ટાફને પણ પુછપરછ માટે તેડુ મોકલ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0