વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા

Sep 25, 2025 - 13:30
વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય ખફા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Broken Idol of Lord Vishnu : દેશની સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયધીશ સમક્ષ ભગવાન વિષ્ણુની મૂર્તિનાં સ્થાને શુઘ્ધ મૂર્તિ સ્થાપિત કરવા અંગે ન્યાયિક દાદ માગવામાં આવતા ન્યાયધીશ દ્વારા ‘ભગવાન વિષ્ણુને કહો કે મૂર્તિ સ્વયં ઠીક કરે’ તેવી ટીપ્પણી કરવામાં આવતાં તેની સામે દ્વારકાના શારદા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યએ ખુલ્લંખુલ્લા વિરોધ કરી આ મુદ્દે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેઓએ ઉચ્ચતમ ન્યાયાલયની વ્યંગોક્તિનો વિરોધ કરી કર્તવ્યપાલન કરવું એ પણ એક ધર્મ છે તેમ જણાવી સુપ્રિમ કોર્ટના પક્ષપાતી વ્યવહારને સખત શબ્દોમાં વખોડી કાઢ્‌યો છે. 

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યાયપાલિકા એ લોકતંત્રનો સ્તંભ છે. પરંતુ ન્યાયાધીશના નિર્ણયો ભારતની સનાતનીય ન્યાય પરંપરાની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. અયોઘ્યા રામ મંદિરના ઉલ્લેખ સાથે શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે અયોઘ્યામાં રામ મંદિર બનવવાનો નિર્ણય અદાલતે કેમ આપ્યો? એમ જ કહેવું જોઈતુ હતુ કે ભગવાન શ્રીરામ મંદિર બનાવે તેવો આદેશ આપવો જોઈતો હતો!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0