લુખ્ખાઓએ બલોલનગર બ્રીજ પર મારમારી કરી વાહનોની લૂંટ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજીક તત્વોના આતંકની ઘટના બાદ પોલીસે દાવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરથી ન કથળે તેની ખાતરી આપી હતી. પરંતુ, લુખ્ખાઓને પોલીસનો ડર નથી રહ્યો તે નરવી વાસ્તવિકતા છે. શહેરના ન્યુ રાણીપ બલોલનગર બ્રીજ પર રાતના સમયે સ્થાનિક લુખ્ખાઓએ રસ્તા વચ્ચે કાર પાર્ક કરીને રોડ બ્લોક કરીને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને રોકીને ઘાતક હથિયારથી માર મારીને આતંક ફેલાવ્યો હતો. એટલું જ નહી બાઇક અને સ્કૂટર સાથે ૪૯ હજારની રોકડની લૂંટ કરી હતી. આ બનાવને પગલે સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે પોલીસ આ મામલે માથાભારે તત્વો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરે છે? તે જોવુ રહ્યું.
What's Your Reaction?






